________________
અટ્ટમ દંસણ ગુણભર્યો, બહુ ભાંતિ કરે ગુરુભરી રે, સરી રે, નિજ સહણાની ફોરવે રે. ૨૬૨ [૧૩-૯]
બાળ આઠમો દર્શનનામા ભેદ વખાણે છે. આઠમા દર્શનનામા ગુણે ભર્યો બહુ ભાંતિ કરે ગુરુ ક0 ધર્માચાર્ય તેહની ભક્તિ કરે, જેહથી સમક્તિ પામ્યો તેહની. ઇતિ ભાવ:. સત્તી રે ક0 શક્તિ પોતાની શ્રદ્ધાની ફોરવે, એતલે એ ભાવઃ. આસ્તિક્ય ભાવ સહિત અતીચાર રહિત દર્શનને ધરતો શક્તિશું પ્રભાવના, વર્ણવાદ બુદ્ધિવંત કરે. યતઃ
'अत्थिक्कभावकलिओ, पभावणा वनवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं, धरेइ इय दंसणं विमलं. ॥१॥
ધિર્મરત્ન પ્ર., ગા. ૬૭૨૬૨૧૩.૯] સુ0 ૮. દર્શન : ધર્માચાર્યની ભક્તિ કરે, શ્રદ્ધાની શક્તિ ફોરવે. આસ્તિક્યભાવ સહિત દોષરહિત દર્શનને ધારણ કરે. આ આઠમો ગુણ. લોકસત્તા સવિ પરિહરે જાંણે ગાડરિઉ પરવાહો રે, લાહો રે, ઈમ નવમા ગુણનો સંપજે જી. ૨૬૩ [૧૩-૧૦]
બાહવે ગરિક પ્રવાહનામા નવમો ભેદ વખાણે છે. લોકસન્ના ક0 અવિચારિત રમણીક, તેહને પરિહરે ક0 તજે, જાણે ક0 માને, લોકની ચાલિ તે ગાડરિયા પ્રવાહ જેઠવી, જિમ એક ગાડરીને પછવાડે બીજી ગાડરી ચાલે. ઉપલક્ષણથી કીડીનો, મકોડાનો પ્રવાહ પણ કહેવો, તે જિમ અવિચારિત છે, લોકપ્રવાહ પણ તેહવો છે. તે માટે વર્જ. ઈમ નોમા નિવમાં] ગુણનો લાહો નીપજે. ૨૬૩ [૧૩-૧૦]
સુ0 ૯ ગરિક પ્રવાહ : અવિચારી ગાડરિયા પ્રવાહની પેઠે જ લોકપ્રવાહ છે. એને ત્યજે. આ નવમો ગુણ. આગમને આગતિ કરે, તે વિણ કુણ મારગ સાખી રે, ભાખી રે, ઈમ કિરિયા દશમા ગુણ થકી એ. ૨૬૪ [૧૩-૧૧]
બાવ હવે દશમો આગમનામાં ભેદ વખાણે છે. જે કાર્ય કરે તે આગમને આગલે કરીને, ઈમ વિચારે, જે આગમ વિના માર્ગ, જે પરલોક સાધવાનો માર્ગ, તેહનો કુણ સાખી? એતલે વીતરાગ આગમ માંહે જ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org