________________
સુ૦ (૧) ચતુઃશરણાદિક પ્રવચનમાતાથી માંડી છ જીવણિયા અધ્યયન પર્યંત, પંચસંગ્રહ, કર્મપયડી આદિ ગ્રંથસમૂહ સ્વબુદ્ધિ અનુસારે ભણે. (૨) આ સૂત્રોનો અર્થ સંવિગ્ન ગુરુ પાસે સાંભળે. (૩)-(૪) અવિવાદપણે ઉત્સર્ગ અને અપવાદને પોતપોતાને સ્થાને બરાબર જાણે. એકલો ઉત્સર્ગ કે એકલો અપવાદ ન આલંબે પણ જે પ્રસંગે જે કરવું ઘટે તે કરે.
પક્ષભાવ વિધિમાંહિ ધરે, દેશ કાલ મુખ જિમ અનુસરે, જાણે ગીતારથ વ્યવહાર, તિમ સવિ પ્રવચન કુશલ ઉદાર.
બાળ પક્ષભાવ ૬૦ બહુમાન વિધિમાંહિ ધરે. દેવવંદનાદિકને વિષે વિધિમાં બહુમાન હોય. અન્ય કોઇ વિધિ કરતો હોય તેહને પણ બહુમાને કરી વિધિ- સામગ્રી-અભાવિં વિધિ આરાધવાનો મનોરથ ન મૂકે. ઇત્યાદિક ઉપલક્ષણથી જાણવું (૫).
૨૫૨ [૧૨-૧૬]
હવે વ્યવહાર કુશલ છઠ્ઠો ભેદ વખાણે છે. દેશકાલ પ્રમુખ હોય તિમ અનુસરે, એતલે એ ભાવ ઃ જે દેશ તે સુસ્થિત દુઃસ્થિતાદિ, કાલ તે સુગાલ-દુકાલાદિક, પ્રમુખ શબ્દે દ્રવ્ય સુલભ-દુર્લભાદિ, ભાવથી હૃષ્ટગ્લાનાદિક, તે સર્વ પોતાપોતાની હદ જાણે.
ગીતારથનો વ્યવહાર સર્વ પોતઇં જાણŪ એતલે એ ભાવ : જે ઉત્સર્ગઅપવાદના જાણ જે ગીતાર્થ તેણે આચર્યો જે વ્યવહાર તે પોતાની મતિ દુખવે નહીં, તિમ સવિ ક તે વ્યવહાર તિમ જ સર્વ અંગીકાર કરે (૬).
એ છ પ્રકારનો, પ્રવચનકુશલ ઉદાર ક0 પ્રધાન કહીઇં, એ છ લક્ષણ ભાવશ્રાવકનાં જાણવાં. ૨૫૨ [૧૨-૧૬]
સુ૦ (૫) દેવવંદન આદિ વિધિમાં બહુમાન રાખે (૬) દેશકાળને અનુસરે સુકાળ-દુષ્કાળ પ્રમાણે દ્રવ્યની સુલભતા-દુર્લભતા બરાબર જાણે, ગીતાર્થનો વ્યવહાર બરાબર જાણે. જેથી વ્યવહારને આંચ ન આવે. આ છ લક્ષણો ભાવશ્રાવકનાં જાણવાં.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૮૧
www.jainelibrary.org