________________
પ્રભુ તુઝ વાણી મીઠડી રે, મુઝ મન સહજ સુહાઈ રે, અમીય સમી મનિ ધારતાં રે, પાપ તાપ સવિ જાય રે.
પ્રભુo૧૫ [૧૦-૨) બા) હે સ્વામીનું, તારી વાણી ઘણું મીઠી લાગઇ છઇં. માહરા મનમાં સહજ સુહાય છે, કોઈને બલાત્કારે નહીં. તે તુમ્હારી વાણી અમૃત સરીખી મનમાં ધારતાં થકાં પાપરૂપ જે તાપ ક0 ઉષ્ણતા તે સર્વ જાઈં અને શીતલતા થાય.૧૯૫ [૧૦-૨).
સુ૦ હે સ્વામી ! તમારી વાણી મીઠી લાગે છે. અમૃત સમી એ વાણી મનમાં ધારણ કરતાં પાપનો તાપ નષ્ટ થઈ શીતળતા પ્રસરે છે. લોકપતિ કિરિયા કરે મન મેલે અaણ રે, ભવ ઈચ્છાના જોરથી રે, વિણ શિવસુખ વિજ્ઞાણ રે.
પ્રભુ૧૯૯ [૧૦-૩] બાળ લોકપંક્તિ ક0 લોકાનુયાયી ક્રિયા કરશું. મન મૈલે ક0 શુદ્ધ અધ્યવસાય વિના અજ્ઞાની જીવ ભવ જે સંસાર તેહની ઇચ્છાના જોર થકી એતલે બહુલ સંસારી જીવ છઈ, શિવસુખનું વિજ્ઞાન, વિણ ક0 વિના એટલે ક્રિયા કરે તે પણ જ્ઞાન વિના, યશ-માન-પ્રતિષ્ઠાને અર્થેઈ. ૧૯૬ [૧૦-૩]
સુ0 લોકની હારમાં રહીને જ શુદ્ધ અધ્યવસાય વિના અજ્ઞાની જીવ કિયા કરે છે. બહુસંસારી એવો આ જીવ મોક્ષસુખના કશા જ્ઞાન વિના કેવળ યશ-માન-પ્રતિષ્ઠા અર્થે ક્રિયા કરે છે. કામકુંભ સમ ધર્મનું રે, ભૂલ કરી ઈમ તુચ્છ રે, જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરુ ગુચ્છ રે.
પ્રભુ૧૯૭ [૧૦-૪) બાળ કામકુંભ સરીખો જે ધર્મ તેહનું તુચ્છ મૂલ્ય કરીને એટલે મોક્ષસુખનો દેણહાર જે ધર્મ તે ધર્મ જસમાનાદિક તુચ્છ મૂલ્ય કરીને તે પ્રાણી કેવલ જનરંજન ક0 લોક રીઝે એટલું જ ફલ પામે. પણિ અજ્ઞાન ક્રિયાથી મોક્ષરૂપ જે વૃક્ષ તેહનો ગુચ્છ ક0 ગુચ્છ, ઉપલક્ષણથી ફલ લીજઇ તે ન લોં કઈ ન પામઇં. ૧૯૭ [૧૦-૪]. ૧૪૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org