SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ એક જીવ આશર્યું નથી કહ્યું. તે માટે અપવાદ પણ આજ્ઞા છે, પણ છાંદો નથી. ઈતિ ભાવ . ૧૫૬ [૮-૧૯] સુ0 કોઈ એમ કહે કે ‘ઉત્સર્ગ માર્ગ જ સાચી જિનાજ્ઞા છે, અપવાદ માર્ગ તો સ્વછંદ છે – આપમતિ-કલ્પના છે, જિનાજ્ઞા નથી.” તો આ કથન મિથ્યા છે. ઉત્સર્ગ ને અપવાદ બન્ને વિધિવાદ છે. અપવાદ પણ આજ્ઞા છે, આપમતિ-કલ્પના નથી. મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ, કાર્ય ઈચ્છતો કારણ ઈચ્છે, એ છે શુભમતિ રેહ. મન, ૧૫૭ [૮-૨૦] બા, એહ જ કહે છે જે કારણે જંબુદ્વીપપન્નત્તની વૃત્તિ મધ્ય ઈમ કહ્યું છે જે અપવાદ તે કારણ અને ઉત્સર્ગ તે કાર્ય. તે માટે કહે છે, મુખ્યપણે જિમ ભાવે આણા ક0 ઉત્સર્ગે આજ્ઞા છે, એતલે ભાવ તે કાર્ય કહિઍ, કાર્ય તે ઉત્સર્ગ કહી છે. તે માટે જિમ ઉત્સર્ગે આજ્ઞા છે, તિમ તસ કારણ તેહ ક૦ અપવાદ પણિ તિમ જ આજ્ઞા છે. કારણ શબ્દ અપવાદ કહીછે, જે માટે કાર્ય ઇચ્છતો થકો કારણ પણ ઇચ્છે, કારણ ઠરે તો કાર્ય ઠરે, કારણ નહીં તો કાર્ય કિંહા થકી? ઇતિ ભાવ:. એ રીતે માને તેહ જ શુભ મતિની રેખા જાણવી. અથવા એ ગાથાનો અર્થ ફિરી કરીશું છછે. ઈમાં ઢંઢક લોક ઈમ કહે છે જે અભ્યારે તો ભાવનિક્ષેપ તે વંદના કરવા યોગ્ય છે. પણ નામ-સ્થાપના-દ્રવ્ય વંદનાયોગ્ય નથી, ઈમ કહે છે. તેહને શિખામણ દીઠે છે જે મુખ્યપણે જિમ ભાર્થે આણા ક0 ભાવનિક્ષેપે આજ્ઞા છે, એતલે ભાવનિક્ષેપ વંદવાયોગ્ય છે, તિમ તસ કારણ ક0 તે ભાવના કારણ વંદવાયોગ્ય છે. ભાવનાં કારણ તે નામસ્થાપનાદિક જાણવા. જે કારણ માટે, કાર્ય ઇચ્છર્યો તે કારણ ઇચ્છર્યો. જે કારણ માન્યા વિના કારણ ઠરચ્યું જ નહીં, એહ જ શુભમતિની રેખા છે. એટલે ભાવ માનચ્યું તે નામસ્થાપના- દ્રવ્ય માનસ્ય જ. નામાદિક નહીં માને તેહને ભાવનિક્ષેપ પણ નહીં મનાય. ઇતિ ભાવ . ૧૫૭ [૮-૨૦]. સુ, “જંબુદ્વીપપન્નત્તીની વૃત્તિમાં ઉત્સર્ગને કાર્ય અને અપવાદને એનું કારણ કહ્યું છે. જો ઉત્સર્ગની આજ્ઞા છે તો તેના કારણરૂપ અપવાદની પણ આજ્ઞા છે. કાર્યને ઈચ્છતો કારણને પણ ઈચ્છે. કારણ હોય તો કાર્ય હોય. પં. પવવિજયજીકૃત બાલાવબોધ ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy