SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ' वयसावि एगे बुइया, कुप्पंति माणवा, उण्णयमाणे य नरे महया મોહેળ મુર્ખા. // o ૫' ઇતિ. ઇમ વચનમાત્રે જ ગચ્છ છાંડે, છાંડીને એકલા રહ્યા અકાર્ય સેવે. ઇતિ ભાવઃ, ૧૧૪ [૬-૧૫] સુ॰ આવા મૂઢ સાધુનાં પ્રમાદ-સ્ખલન આદિ જોઇને ઉત્તમ સાધુ જો એમને સાચી શિક્ષા આપે તો ગચ્છત્યાગ કરેલા એકાકી સાધુ ઊલટાનાં તે સાધુને કઠોર વચન સંભળાવે, એમ કહીને કે ‘ મેં વળી શું ખોટું કર્યું છે ? બીજાઓ પણ એમ જ કરે છે ને !” અમ સરીખા હો જો તુમ્હે જાણો, નહીં તો સ્યા તુમ બોલ રે ઇમ ભાખી જાત્યાદિક દૂષણ, કાઢે તેહ નિટોલ રે. બાળ તે મૂરખની શિખ્યા દિઇ તિવારેં પાછા એહવા જબાપ દીઇં જે ‘અમ્હ સરીખા તુમ્હે હો તો જાણો.' એતલે એ ભાવ જે ‘અમ્હારે ગોચરીપાણી પ્રમુખ લાવવાં પડે તે તુમ્હારે કરવું પડતું હોય તો જાણો, નહીં તો બેઠા મોટાઇ કરો એતલું જ, પણ કાંઇ ભલીવાર નહીં. જો અમ્હારી પ ચાલો તો તુમ્હો જે અમનેં શિખ્યા ઘો તે ખરી, નહીં તો તુમ્હારા બોલ સ્યા ? એટલે તુમ્હારું બોલ્યું સર્વ ફોકટ છે.’ ઇમ ભાખી ક0 ઇમ કહીને જાત્યાદિકનાં દૂષણ કાઢે. તુમ્હો હીણી જાતિના ઉપના છો, તુમારું કુલ કેહવું ઇત્યાદિક બોલે. તેહ નિટોલ કર તે પુરુષ નિટોલ જાણવા. સજ્જન - ઉત્તમ પુરુષમાં ન ગણાય. ઇતિ ભાવઃ. ૧૧૫ [૬-૧૬] સુ॰ આવા મૂઢ સાધુ શિક્ષા આપનાર સાધુને સામેથી એવા ઉપાલંભ આપે કે ‘અમારી જેમ ગોચરી-પાણી લાવવાં પડે તો તમને ખબર પડે. ખાલી બેઠાબેઠા મોટાઈ જ કરો છો !' આમ કહી એમનાં જાતિ-કુલ વિશે પણ અણછાજતું બોલે. આવા સાધુઓને નઠોર જ જાણવા. પાસસ્થાદિક દૂષણ કાઢી, હીલે જ્ઞાની તેહ રે, યથાછંદતા વિણ ગુરુઆણા, નવિ જાણે નિજ રેહ રે. ૮૨ સા૦ ૧૧૫ [૬-૧૬] Jain Education International સા૦ ૧૧૬[૬-૧૭] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy