________________
બાળ હવે બે પદનો અર્થ એકઠો લિખીઍ છીઍ. ગત બોધ ક0 ગયા છે બોધ – જ્ઞાન જેહથી,એતલે મૂર્ખ જે હોય તે મુનિમનની નાનાપરિણતિ ક0 મુનીશ્વરોની વિચિત્ર પરિણતિઓ, તેહના જે ભેદ ક0 પ્રકાર, લહ્યા વિણ ક0 જાણ્યા વિના એતલે મૂર્ખ મુનિ બીજા મુનિની વિચિત્ર પરિણતિ અણજાણતા, ખિણ રાતા ખિણ તાતા ક૭ ક્ષણેકમાં રાતા થાય એટલે અંત:કરણે ક્રોધ દીપે તથા ક્ષણેકમાં તાતા થાય એટલે બાહ્ય પણિ ક્રોધ દીપે. મૂર્નોનઇ ઇમ થાતા થકા અથવા રાતા ક0 રાગી થાય. પરસ્પરે ક્રીડા કરે. તાતા ક0 તપી જાએ, કષાયમાં આવે. અંતિ ક૦ છેડે વિરોધ ઉપાઈ ક0 ઉપજાવે એતલે મૂરખ માંહિમાંહિમાં વઢી મરે, પણિ સમાધિ ન ઉપજાવે. ઈતિ ભાવઃ. ૧૧૧ [૬ .૧૨] .
સુજે મૂર્ણ મુનિઓ છે તે અન્ય મુનિઓની ચિત્રવિચિત્ર પરિણતિ નહીં જાણતા હોવાને કારણે ક્ષણમાં ક્રોધદીપ્ત થાય, તો ક્ષણમાં રાગી પણ થાય - એમ કષાયુક્ત બનતાં છેવટે માંહોમાંહે લડી મરે; પણ સમાધિ ઉપજાવે નહી. પત્થર સમ પામર આદરતાં મણિ સમ બુધ જન છોડિ રે, ભેદ લહ્યા વિણ આગમથિતિનો, તે પામે બહુ ખોડી રે.
સાવ ૧૧૨ [૬-૧૩] બા) પત્થર સમ ક0 પથરા બરાબરિ, પામર ક૦ મૂર્ખ, તેહને આદરતાં ક0 અંગીકાર કરતાં, મણિ સમ ક0 મણિરત્ન બરાબર બુધજન ક0 પંડિતલોક, તે પંડિત લોકોને છોડિ ક0 છાંડીને મૂર્ખને કબૂલ કરે. તે મૂર્ખનઈ આદરનારા જે પ્રાણી તે મૂરખ પાસે રહેતાં આગમની જે સ્થિતિ ક0 મર્યાદા, ઉત્સર્ગ-અપવાદાદિક રૂપ તે સ્થિતિનો ભેદ કહ્યા વિણ ક0 ભેદ જે પ્રકાર તે અણહતાં તે મૂર્ખને આદરનારા ઘણી ખોડિ પામે, એતલે સંયમરૂપ શરીર આખું ન રહે. ઇતિ ભાવ:. ૧૧૨ [૬-૧૩]
સુ0 મણિરત્નસમાન પંડિતજનોને છોડીને જેઓ પથ્થર સમા મૂઢ જનોનો અંગીકાર કરે છે તેઓ એવાઓની પાસે રહેવા છતાં આગમનાં ઉત્સર્ગ-અપવાદ આદિ યોગ્યતયા નહિ જાણીને ઘણી ક્ષતિ પામે છે; એમનો સંયમરૂપી દેહ ખંડિત બને છે.
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org