________________
ગીતાર્થ હોય. વલી નાણી ક૦ સમ્યગુ જ્ઞાની હોય. આગમ માંહિ એહવા લહિઈ ક0 પામીઇ છે. વલી આતમઅરથી ક0 પોતાનો આતમા સાધવાને ઉજમાલ થયા. શુભમતિ ક) ભલી મતિના ધણી એતલે મુમતી કદાગ્રહ ન હોય. વલી સજ્જન ક0 ઉત્તમ ગુણવંત, ભલી સીખામણના દેનારા અથવા સર્વ પદ સંબોધને બોલાવીઇ, યથા હે આતમારથી, હે શુભમતિ, હે સજ્જન ! તે ગીતાર્થ વિના કહો કિમ રહિએ? એહવા ગુરુ ગીતારથ પુરુષ વિના કહો કિમ રહીઈ ક0 કિમ રહી સકીઈં ? ૯૭ [પ-૨૧]
સુ0 સમભાષી એટલે કે સ્યાદ્વાદ-વચનના ભાષી અથવા તો રાગદ્વેષરહિત થઈને ગરીબ-તવંગર સૌને સરખી રીતે દેશના આપનાર, જ્ઞાની, આત્માર્થી, શુભ મતિવાળા, સજ્જન એવા ગીતાર્થ વિના કેમ જ રહી શકાય ? લોચન આલંબન જિનશાસનિ, ગીતારથ છે મેઢી રે, તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહે કિમ સેઢી રે ?
શ્રી જિન) ૯૮ [પ-૨૨] બાળ વલી ગીતાર્થને જ્ઞાનરૂપ લોચનના દેનારા માટે ગીતાર્થને લોચન કહિછે. તથા દુર્ગતિને વિષે પડતાનું આલંબન=આધાર થાય તે માટે ગીતાર્થને આલંબન કહિછે. જિનશાસનને વિષે વલી મેઢી બરાબર છે. મેઢી તે ખેત્ર ખલામાં વિચમાં સ્થંભ રોપીને બેલને અન્ન ઉપર ફેરવે છે તેહને કહિછે. ઉપલક્ષણથી થંભભૂત કહીશું, જેહને આધારે ઘર માલ પ્રમુખ રહે છે. વલી યાન કહીશું જેહનિ આધારઇ મહા અટવી માર્ગ હોય તોહી પાર પામીઇં- યતઃ
'मेढी आलंबणं खंभं, दिट्ठी जाणं सुउत्तमं । गीयत्थं गुरुगुणाइण्णं सम्मं जाणसु गोयमा ! ॥ १ ॥'
તે વિણ ક0 તે ગીતાર્થ વિના મુનિરાજ સંજમની જે સેઢી ક0 સંયમશ્રેણી કિમ આરહે? એતલે કિમ ચઢઇં ? ઉત્તરોત્તર શુભાધ્યવસાઈ કિમ વધઈ ? શ્રી સંજમશ્રેણિનો અધિકાર તે “સંયમશ્રેણીનું તવન' અભ્યારા ગુરુશ્રી ઉત્તમવિજયજીકૃત છે. તેથી વિસ્તારે જાણવો તથા પંચસંગ્રહ’થી જાણવો. ૯૮ [૫.૨૨] ૭૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org