________________
સારણ વારણ પ્રમુખ લહીને, મુક્તિ મારગ આરાધે રે, શુભવીરય તિહાં સુવિહિત કિરિયા, દેખાદેખે વાધે રે
શ્રી જિન) ૯૨ [૫-૧૬] બાળ સારણ ક0 વીસાર્યું હોય તે સંભારી આપે. વારણ ક0 પાપકરણી કરતાને વારે, પ્રમુખ શબ્દ કરી ચોયણા, પ્રતિચોયણા પણિ લેવી. તે પણિ ગચ્છમાં રહે તેહને થાય. તે સારણાદિક લહીને ક0 પામીને મુક્તિમારગ આરાધે ક0 મોક્ષમારગ સાધે. યતઃ
'गुरुपरिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला । विणयाओ तहा सारणमाइहिं न दोसपडिवत्ति ॥ १ ॥
- ઇતિ “પંચવસ્તુકે ગા.૬૯૬] તથા ઇતિ શ્રી ધર્મરત્ન પ્રકરણવૃત્ત.”
વલી શુભવીરય ક0 ભલો વીયૅલ્લાસ વાધછે. વલી સુવિહિત કિરિયા ક0 આત્માર્થી ગીતાર્થની ક્રિયા વ્યવહાર દેખાદેખે વાધે ક0 એક સાધુને ક્રિયા તાજપાદિક કરતાં દેખી પોતાને કરવાનું મન થાય. તેથી વાધે, વધારો થાય. ૯૨ [પ-૧૬]
સુ0 ગચ્છમાં રહેવાથી જ સારણ (વીસરેલું સંભારી આપવું), વારણ (પાપકરણીમાંથી વારવું), ચોયણા (પેરવું), પ્રતિચોયણા (પુનઃ પુનઃ પ્રેરવું) શક્ય બને. એથી જ મુનિ મુક્તિમારગ સાધે. સાધુઓના સમુદાયને તપજય-ક્રિયા કરતા જોઈને પોતાને પણ એમ કરવા ઉલ્લાસ થાય. જલધિ તો સંખોભ અસહતા, જિમ નીકલતા મીનો રે, ગચ્છ સારણાદિક અણસહતા તિમ મુનિ દુખિયા દીનો રે.
શ્રી જિની ૯૩ [૫-૧૭] બા, જલધિ તણો ક0 સમુદ્રનો સંક્ષોભ ક0 કલ્લોલ પ્રમુખની ક્ષોભના તે અસહતા ક0 સહી ન સકે. તિવારે જિમ મીન ક0 મચ્છ હોય તે સમુદ્રમાંથી બાહિર નીકલે, તિમ ગચ્છમાં રહેતાં ગુર્નાદિક સારણાવારસાદીક કરે, તે સહેવી પડે, તે ન સહેવાઇ તિવારે અણસાહતા થકાં બાહિર નીકલે તે દુઃખી, દીન થાય. ગત્યંતરે દુર્ગતઇ જાય. તિવારે દુઃખી, દીન જ થાય. ઇતિ ભાવઃ યત: – પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org