________________
६५
ચતુર્થ સf. / द्वाविंशतीति वर्षाणि, तत्र स्थित्वा मते मुनिः । पश्चादथ स संभाव्य, मतं तद्दोषपोषकम् ॥ २७ ॥ आत्मारामोऽरमुद्धर्तु, मात्मानां च परात्मनः । હું તતતૂ, માવામાલય ૨૮ પુન્ I
એવી રીતે તે આત્મારામજી મુનિરાજ તે ઢંઢકમતમાં બાવીસ વર્ષો સુધી રહીને તથા પછી તે મતને દૂષણોને પોષનારો જાણીને, તેમાંથી પોતાનો અને બીજાઓનો તુરત ઉદ્ધાર કરવા માટે તુરત અમદાવાદમાં આવ્યા.
તેમણે પ્રકટપણે યથાર્થ સત્ય પ્રાચીન જૈનધર્મની પ્રરૂપણા કરવી શરૂ કરી. અને ઘણા લોકોએ તેમનું કહેવું સત્ય માની સ્વીકાર્યું. બીજી તરફ વિશ્નચંદજી અને હુકમચંદજી વગેરે મુખ્ય મુખ્ય શહેરોમાં ફરી શ્રાવકોને પ્રતિબોધ કરતા હતા. તેથી તેમના મતની ઘણી વૃદ્ધિ થતી ગઈ. સંવત ૧૯૨૭નું ચોમાસું આત્મારામજીએ બીજીવાર બિનૌલિમાં કર્યું. ત્યાંથી ચોમાસા બાદ પંજાબમાં જીરા ગામે ગયા અને ત્યાંના અડધા શ્રાવકોને પોતાના પક્ષમાં કર્યા. સંવત ૧૯૨૮નું ચોમાસું તેમણે લુધીઆને કર્યું. ત્યાં તેમણે પ્રમાણસુંદર, સ્યાદ્વાદમંજરી આદિ જૈન તર્કનો અભ્યાસ કર્યો.
ચોમાસા બાદ શ્રી આત્મારામજી લુધીઆનેથી હુશિયારપુરમાં ગયા. ત્યાં વિપ્નચંદજી વગેરે ૧૨ સાધુઓ અમરસિંઘથી છૂટા પડીને શ્રી આત્મારામજીને જઈ મળ્યા. તે સિવાય બીજા ૮ સાધુ યોગરાજના ટોળાના મળીને કુલ ૨૦ સાધુઓ હુશિયારપુરમાં એકઠા થયા. એથી અમરસિંઘે ગભરાઈને ફરીને આત્મારામજીની વિરુદ્ધમાં ગામે ગામ કાગળો મોકલાવ્યા કે તેને કોઈએ માનવા નહિ, તેમ આશ્રય આપવો નહિ. પરંતુ “ખાડો ખોદે તે જ પડે.” એ કહેવત મુજબ તેમને થયું. તેમને જ કોઈએ માન્યા નહિ, તેમ આશ્રય પણ આપ્યો નહિ. હવે હુશિયારપુરમાં એકઠા થયેલા આત્મારામજીના પક્ષના ૨૦ સાધુઓ જુદે જુદે સ્થળે ચારે તરફ પોતાનો મત પ્રવર્તાવવા માટે નીકળી પડ્યા. તેઓ સર્વ ક્ષેત્રોમાં પોતાનું પાથરણું પાથરતા અને ઢંઢકોનું ઉઠાવતા ચાલ્યા. એમ કરતાં કરતાં તેમણે હુશિયારપુર, નિકોદર, અમૃતસર, પટ્ટી, કસુર, વેરોવાળ, નારોવાળ, ઝંડીયાળા, સંખતરા, પસરૂર, જંબુ, કુંજરાવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org