SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશ: સર્વ: ધ वल्लभविजयस्याथ, शिष्यौ द्वौ च बभूवतुः । माणिक्यविजयस्यापि तथासंख्यौ हि शिष्यकौ ।। ५४ ।। (હર્ષવિજયજીના શિષ્ય) શ્રી વલ્લભવિજયજીના બે શિષ્યો થયા તથા (પ્રેમવિજયજીના શિષ્ય) શ્રી માણેકવિજયજીના પણ બે શિષ્યો થયા. गत इह शुभवंशस्तस्य सूरीश्वरस्य । शिवसुखफलदोऽयं कल्पशाखीव वृद्धिम् ॥ मुनिगणततमालाशौक्तिकेयानि तत्र । सुखदशिवकुमारीप्रीतिदानि बभूवुः ।। ५५ ।। (એવી રીતે) તે શ્રીવિજયાનંદ સૂરિરાજનો મોક્ષસુખ રૂપી ફલને દેનારો વંશ કલ્પવૃક્ષની પેઠે વૃદ્ધિ પામ્યો; તે વંશમાં સુખ આપનારી એવી મોક્ષરૂપી કુમારિકાને પ્રીતિ આપનારા મુનિઓના સમૂહની વિસ્તાર પામેલી શ્રેણિઓ રૂપી મોતીઓ ઉત્પન્ન થયાં. ३७७ ૧. શ્રી વલ્લભવિજયજીના પહેલા શિષ્યનું નામ શ્રી વિવેકવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે શ્રીમાલી વાણીઆ તથા ગુજરાતમાં આવેલા વલાદ નામે ગામના રહેવાસી હતા, વળી તેમનું નામ ડાહ્યાભાઈ હતું. તેમણે સંવત ૧૯૪૮માં પંજાબમાં આવેલા પટ્ટી નામના ગામમાં મહારાજ શ્રી વલ્લભવિજયજી પાસે દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી લલિતવિજયજી છે; તેમણે પણ મહારાજ શ્રી વલ્લભવિજયજી પાસે પંજાબમાં આવેલા નારોવાલ નામે ગામમાં સંવત ૧૯૫૩માં દીક્ષા લીધી હતી, ૨. શ્રી માણેકવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી ગુલાબવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે વીસા ઓશવાળ વાણીઆ તથા વીકાનેરના રહેવાસી હતા; વળી તેમનું નામ ઘેબરચંદ હતું. તેમણે સંવત ૧૯૫૩માં મહારાજ શ્રી માણેકવિજયજી પાસે ગુજરાતમાં આવેલા વડાલી નામના ગામમાં દીક્ષા લીધી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy