SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશ: સર્જ: । ३६९ આ મુનિના ઉપદેશથી જાહાપુરના ઠાકોરે હમેશાં નરક આપનારું માંસભક્ષણ ખરેખર તજ્યું છે. एवं च मुनिनानेन जैनधर्मोन्नतिः कृता । ग्रंथगौरवतस्तस्या, विस्तारो न कृतो मया ।। ४६ ॥ એવી રીતે આ મુનિરાજે જૈનધર્મની (ઘણી) ઉન્નતિ કરી છે; પણ ગ્રંથગૌરવથી તેનો મેં વિસ્તાર કર્યો નથી. ૧. આ શ્રી હંસવિજયજી મુનિરાજે જૈનધર્મની ઘણીજ ઉન્નતિ કરી છે; તથા તેઓ મહા પ્રભાવિક છે. તેમણે પૂર્વ દેશમાં છેક કલકત્તા સુધી વિહાર કરીને ઘણા જીવોને પ્રતિબોધ આપેલો છે. તેમના ઉપદેશથી મક્ષુદાબાદના રહેવાસી મહાન ધનાઢય શ્રાવક રાયબહાદુર ધનપતિસિંહજીએ શ્રીસમ્મેત શિખરજીનો ઘણા ઠાઠથી સંઘ કહાડયો હતો. તેમાં હાથી વિગેરે ઘણી રાજ્યરિદ્ધિ સરખી સામગ્રીઓ હતી. વળી તેમણે દક્ષિણમાં ખાનદેશમાં આવેલા ધુલીયા આદિક નગરોમાં વિહાર કરીને પણ ઘણા જીવોને પ્રતિબોધ આપી જૈનધર્મમાં સ્થિર કર્યા; એટલું જ નહીં પણ ત્યાંના અન્ય દર્શનીઓ તથા માંસમિંદરા ભક્ષણ કરનાર અનાર્ય લોકોને પણ ધર્મોપદેશ આપી તેમણે શુદ્ધ માર્ગ પર ચડાવ્યા છે. ખાનદેશમાં એવા મહાન મુનિરાજનો વિહાર દુર્લભ હોવાથી લોકો તરફથી તેમને ઘણું સન્માન મળ્યું છે. તેમણે જ્યારે ધુલીયામાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંના ધનાઢય રહીશ શેઠ સખારામભાઈ દુર્લભદાસ કે જેઓ જૈનધર્મમાં અત્યંત શ્રદ્ધા ધરાવે છે, તેમણે ઘણા ઠાઠમાઠથી આ મુનિરાજનો પ્રવેશમહોત્સવ કર્યો હતો. તે સમયે આસપાસના પંદર ગાઉના ગામોમાં રહેતા શ્રાવકો તથા અન્ય દર્શનીઓ પણ તે મહોત્સવ જોવા માટે આવ્યા હતા; તથા એક રાજાને જેમ તેમ આ મુનિરાજને માન આપતા હતા; વળી તે સમયે ત્યાં ઘણા અન્ય મતના લોકોએ પણ આ મુનિરાજના ધર્મોપદેશથી માંસમદિરા આદિકનો ત્યાગ કર્યો હતો. વળી ત્યાં આવેલા આમલનેર નામના ગામથી નીકળેલા સંઘ સાથે વિહાર કરી તેમણે શ્રી અંતરિકજી પાર્શ્વનાથજીનાં દર્શન કરી પોતાના આત્માને પવિત્ર કર્યો. તેમણે વડોદરામાં મોટો પુસ્તકભંડાર સ્થાપ્યો છે. તથા ગુરુભક્તિ લાવીને જગોએ જગોએ મહારાજશ્રી આત્મારામજી મહારાજના નામથી જૈનપાઠશાળાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy