SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૦૫ યોગદષ્ટિસમુચ્ચય નામની મહત્ત્વની અને જૈનોનું ઉપલબ્ધ સાહિત્ય જોતાં અભૂતપૂર્વ એવી કૃતિ રચી છે. એમાં એમણે યોગની નિમ્નલિખિત આઠ દૃષ્ટિઓનું નિરૂપણ કર્યું છે: (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દિપ્રા. (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા અને (૮) પર. યશોવિજયજી ગણિએ “વાચક' પદ મળ્યા બાદ આ આઠ દષ્ટિ ઉપર પ્રકાશ પાડતી એકેક ઢાલ રચી છે અને અંતિમ ઢાલના અંતમાં આ કૃતિ યોગશાસ્ત્રને આધારે યોજ્યાનું અને નંદીમાં સભાના ત્રણ પ્રકારો અને શ્રોતાના ગુણો અને અવગુણો વિષે ઉલ્લેખ છે તે જાણીને યોગ્ય વ્યક્તિને આ રચના આપવી એમ કહ્યું છે. આઠ ઢાલની કડીની સંખ્યા નીચે મુજબ છે : ૧૫, ૫, ૫, ૨૩, ૬, ૯, ૫ અને ૮. આમ અહીં એકંદર ૭૬ કડી છે. જોગવિહાણવીરિયા યોગવિધાનવિંશિકા) અને એનું વિવરણ - સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ “વીસવીસિયા જ. મ. માં રચી છે. આ નામ જ કહી આપે છે તેમ એમાં વીસ વીસ પદ્યની એકેક વિંશિકા (વીસી) છે. એ પૈકી સત્તરમી વિંશિકા તે જોગવિહાણવીસિયા છે. એમાં યોગનું લક્ષણ, યોગના પાંચ પ્રકારો, એ પ્રત્યેક પ્રકારના ચચ્ચાર ભેદ અને એ દરેક ભેદના ચચ્ચાર પેટા ભેદ એમ યોગના ૮૦ પ્રકારોનું નિરૂપણ છે. આઠમા પદ્યમાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમનો ઉલ્લેખ છે. આ જોગવિહાણવીસિયા ષોડશકનું સ્મરણ કરાવે છે. “વિવરણ – જોગવીસિયા ઉપર યશોવિજયગણિએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું ૧. આથી યોગદૃષ્ટિસમુચ્ચય અભિપ્રેત હશે એમ લાગે છે, કેમકે હૈમ યોગશાસ્ત્રમાં તો આઠ દૃષ્ટિનું નિરૂપણ નથી. ૨-૩. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૨ ૪. આનો પરિચય મેં અ. જ. ૫. ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્દાત પૃ. ૩૫-૩૮)માં અંગ્રેજીમાં અને મ. વા. હ.માં ગુજરાતીમાં આપ્યો છે. ૫. પહેલા બે કર્મ-યોગ છે જ્યારે બાકીના ત્રણ શાનયોગ છે. ૬. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy