SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પરમત સમીક્ષા ૯ ૧૭ અ – ૨૧ અ મનસુ. ૧૦ ૨૧ અ – ૨૬ અ પૃથિવી ૨૬ અ – ૨૮ આ ૧૨ ૨૮ આ – ૩૨ અ તેજસ્ ૧૩ ૩૨ અ – ૩૫ અ વાયુ ૧૪ ૩૫ અ – ૪૨ અ શરીર આ પૈકી છેલ્લું પ્રકરણ અપૂર્ણ છે. પત્ર ૪૨ અ ગત અંતિમ લખાણ નીચે પ્રમાણે છે : "पाणिकर्मणैवोक्तप्रत्ययाद्यपपत्त्याऽतिरिक्तशरीरकर्मकल्पनाया एव बाधकत्वात कम्पाभावस्त्वन्यत्र क्लृप्त एव शरीरेऽकल्प्यत इति न गौरवम् । न चैवं कर्मणोऽणुमात्रं गतत्वं त्रुटिमात्रगतत्वं वा स्यात् । तत् कर्मणैवान्यत्र प्रत्ययोपपत्ते'' પીવપર્ય – પત્ર ૧૭ અ માં નરહસ્ય જોવાની ભલામણ કરાઈ છે. એ હિસાબે પ્રમેયમાલા એ નવરહસ્ય પછી રચાયાનું ફલિત થાય છે. ઉલ્લેખ – પત્ર ૩૫ આ માં લીલાવતીકાર અને દેવર્ષિનો ઉલ્લેખ છે. આ કૃતિમાં શરીરનું વૈવિધ્ય વર્ણવાયું છે. "વાદમાલા – આ નામની ત્રણ કૃતિ છે. એમાંની એક કૃતિની યશોવિજયગણિએ સ્વહસ્તે લખેલી હાથપોથી મળે છે અને એ મુદ્રિત છે. એમાં નિમ્નલિખિત સાત વાદોનું નિરૂપણ છે: (૧) ચિત્રરૂપ-વાદ, (૨) લિંગોપહિત લૈંગિકભાન-વાદ, (૩) દ્રવ્યના શહેતાવિચાર-વાદ, (૪) સુવર્ણતૈજસત્વાતૈજસત્વ-વાદ, (૫) અન્ધકારભાવ-વાદ, (૬) વાયુસ્પાર્શન પ્રત્યક્ષ-વાદ અને (૭) શબ્દનિત્યતાનિયત્વ વાદ. આ પ્રમાણેના વિવિધ વાદોને આ કૃતિમાં સ્થાન અપાયું હોવાથી એનું વાદમાલા' નામ સાર્થક ઠરે છે. કર્તાએ આ કૃતિ સાત જ વાદોથી પૂરી કરી હશે કે વિશેષ વાદો રચવાની એમની ઇચ્છા હશે તેનો નિર્ણય કરવા માટે કોઈ સાધન ૧. આ કૃતિ ઉત્પાદિસિદ્ધિવિવરણ ઈત્યાદિ સહિત “જૈન ગ્રંથ-પ્રકાશક સભા તરફથી વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાઈ છે. એ માટે કર્તાએ જાતે લખેલી હાથપોથીનો ઉપયોગ કરાયો છે. ૨. જુઓ ન્યા. ય. સ્મૃ. ૫. ૧૯૩). ૩. આ પ્રમાણે પ્રશ્ન ઉઠાવવાનું કારણ એ છે કે વાદમાલાના અંતમાં ગ્રંથની સમાપ્તિ સૂચવનારું કોઈ વાક્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy