SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૦૯ વિષય – આ સ્તવનનો પ્રારંભ શાન્તિનાથના ગુણોત્કીર્તનથી કરાયો છે તેમ અંત પણ એ રીતે રજૂ થયો છે. આ સ્તવનની પહેલી ઢાલમાં કહ્યું છે કે વાણીરૂપ ગંગાના તરંગ ઊછળે છે. વળી નય, ગમ, ભંગ અને પ્રમાણના પુષ્કળ પ્રવાહ વહે છે અને નિશ્ચય-નય અને વ્યવહાર-નય ત્યાં ભમરી ભમે છે. આ ઢાલમાં આ બે નયોનો સ્યાદ્વાદના ઘરના બે ઘોડા તરીકે નિર્દેશ છે. બીજીથી પાંચમી ઢાલ પૈકી પ્રત્યેક ઢાલમાં નિશ્ચયન-વાદી પોતાનો પક્ષ રજૂ કરે છે જ્યારે વ્યવહારનય-વાદી એનો ઉત્તર આપે છે. પછી એ બંને વાદી શાન્તિનાથના સમવસરણમાં જાય છે અને એ તીર્થકર દ્વારા એમના ઝઘડાનો અંત આવતાં બંને વચ્ચે સુમેળ સધાય છે. આ સ્તવનમાં ઉપર્યુક્ત બે વાદીઓ વચ્ચે સંવાદ થયો તેમાં સામસામી દલીલો જે કરાય તે હું નીચે મુજબ દર્શાવું છું: નિશ્ચયન-વાદી વ્યવહારનયવાદી ભાવ એ જ ખરી વસ્તુ છે. | ક્રિયા વિના ભાવ આવે નહિ. જે ક્રિયા અનંતવાર મળી તેથી રાચવું] રત્નને શુદ્ધ કરવા ખારના સો પુટ અપાય. ક્રિયા અને પરિણામનાં ફળ ભિન્ન છે. ભરત અને મરુદેવા ભાવથી ભવસાગર | ગળિયા બળદ જેવા જનો કોળિયા કરીને તર્યા. દ્રવ્ય-ક્રિયાનું ઉત્કૃષ્ટ ફળ સૈવેયક | કેમ ખાય છે? વ્યવહાર વિના ભાવ ક્ષણમાં તોલો અને ક્ષણમાં માસો છે. ગુરુ કોણ અને ચેલો કોણ? આત્મા પોતે | ગુરુકુળમાં રહી વ્યવહારમાં સ્થિર એકલો સ્વભાવમાં રમે છે. જે કર્મની પરિણામ રાખનારો ત્રિવિધ અવંચક વિભાવશક્તિને તોડે તે આત્માને | યોગથી મહોદયને પામે. સ્વભાવ-શક્તિમાં જોડે. કત થનાર હાથીની પેઠે ઝૂઝે જ્યારે જે અભિમાનથી રહિત હોય તે સાક્ષી છે. સાક્ષી થનાર નિજ ગુણમાં સલૂઝે. કતને ક્રિયાનું દુખ હોય જ્યારે સાક્ષી ભવવૃક્ષનો ઉચ્છેદ કરે. જ્ઞાનીને ક્રિયા ન હોય, એ કર્મસ્થિતિ | સમગ્ર શક્તિ ક્રિયામાં રહેલી છે. સાધન પાકવાથી નરમ થયો છે. ક્રિયા વિના કામ ન આપે. નહિ. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy