SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ભક્તિસાહિત્ય પાંચમા સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે સુમતિનાથ સાચા દેવ ઉત્તમ હીરા જેવા છે, કેમકે એમની વાણી અને વર્તન એકરૂપ છે, જ્યારે ઈતર દેવો તેમ ન હોવાથી કાચા છે – કાચ જેવા છે. છઠ્ઠા સ્તવનમાંની નિમ્નલિખિત પંક્તિ મનોરમ છે : 'प्रभु गुनज्ञान ध्यान बिधि रचना पान सुपारी काथा चूना; राग भयो दिलमें आयोगें, હે છિપાયા ના છાનાહૂના.” સાતમું સ્તવન ઉત્કટ પ્રીતિનાં ઉદાહરણો દ્વારા કોને શું પ્રીતિકર છે તે નીચે મુજબ દર્શાવે છે: રાજહંસ માનસરોવર હાથી રેવા (નર્મદાનું જળ) ચકોર ક્ષીરસમુદ્ર કામદેવ વસંત ભ્રમર અમૂલ્ય પુષ્પ દાની દાતા) ત્યાગ કોયલ આંબો બ્રાહ્મણ વાગ-યજ્ઞ રામ યોગી સંયમ કામ દેવ નન્દનવન મુસાફરી ઘરનું આંગણું | ન્યાયી ન્યાય જ્ઞાની તત્ત્વની વિચારણા | આઠમા સ્તવનમાં ચન્દ્રપ્રભસ્વામીના વદનને પૂર્ણિમાના ચન્દ્રની, ભવ્યજનોને ચકોરની, કવિઓને ભ્રમરની અને સુખને મકરન્દની ઉપમા અપાઈ છે. એ તીર્થંકરનાં હૃદય અને હાથને વિશાળ કહ્યાં છે અને એમની ચાલને હાથી જેવી કહી છે. નવમા સ્તવનમાં સુવિધિનાથરૂપ સુદેવ અને કષાયની કૃષ્ણતાથી કલુષિત કુદેવ વચ્ચેનું અંતર નિમ્નલિખિત કંઠો દ્વારા દર્શાવાયું છે : મેઘ હરિ સીતા. ૧. આ સ્તવનની આ પંક્તિ ઉપરથી પ્રેરણા મેળવી શુભવિજયજીના શિષ્ય વીરવિજયજીએ ક્ષણ ક્ષણ સાંભરે શાન્તિ સલૂણા થી શરૂ થતું સ્તવન યોજયું હોય એમ મનાય છે. જુઓ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૬૪). ૨. આ પૈકી ઘણાંખરાં ઉદાહરણો યશોવિજયજીગણિત અનન્તવીર્ય-જિન-સ્તવનમાં જોવાય ૩. સ્ત્રીને ગજગામિની કહેવાય છે. શું પુરુષને માટે એવું વિશેષણ વપરાય ખરું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy