SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિસાહિત્ય જૈન ગ્રં. પૃ. ૧૦૬)માં યશોવિજયગણિકૃત નવ પદ્યના સમીકાપાર્થસ્તોત્રનો ઉલ્લેખ છે અને એની અંશતઃ નોંધ જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૪૨૧)માં છે. શું શમીન-પાર્શ્વનાથસ્તોત્ર તે જ સમીકા-પાર્શ્વનાથ-સ્તોત્ર છે? સામાન્ય – જિન-સ્તવન – આ ચાર કડીના હિન્દી સ્તવન દ્વારા કતએ પોતાની મનોવ્યથા દર્શાવી છે – પોતે ખૂબ દુઃખ ભોગવે છે એમ કહ્યું છે. અંતમાં એમણે અવિચળ સંપત્તિ આપવા પ્રભુને વિજ્ઞપ્તિ કરી છે. સામાન્ય જિન-સ્તવનરૂપ પદો પદોનું વર્ગીકરણ-યશોવિજયગણિએ કેટલાં પદ રચ્યાં છે તેનો અંતિમ નિર્ણય આપવા માટે પૂરતાં સાધન નથી. ઉપલબ્ધ સાધનો જોતાં એની સંખ્યા આશરે ૭૫ની છે. ગૂ. સા. સં.માં આ પદો નીચે મુજબ વિભક્ત કરાયાં છે અને ક્રમાંક નીચે પ્રમાણે રખાયા છે: (૧) સામાન્ય-જિન-સ્તવનરૂપ પદોઃ ૯, ૧૨, ૧૯, ૫૪, ૫૫, ૬૦, ૬૧ ને ૭૦ [૮]. (૨) વિશિષ્ટ-જિન-સ્તવન પદોઃ ૮, ૧૦, ૧૧, ૧૬-૧૮, ૨૪, ૨૮-૩૨, ૪૧, ૪૨, ૬૩ ને ૬૬ [૧૬]. (૩) ગીતરૂપ પદો : ૧૫, ૨૬, ૩૩ ને ૪૦ ીિ. આ ઉપરાંત ત્રણ ગીતરૂપ પદ છે પણ તેના ક્રમાંક નથી. (૪) આધ્યાત્મિક પદો : ૧-૭, ૧૩, ૧૪, ૨૦, ૨૧, ૨૫, ૩૪-૩૯, પ૩, ૫૬, ૫૮, ૧૯, ૬૧, ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૧-૭૩ [૩૧]. આ ઉપરાંત એક ક્રમાંક વિનાનું પદ છે. (૫) નવનિધાન નવ સ્તવનોઃ ૨૨, ૨૭, ૩-૫૦ને ૬૯ [૧૧]. (૬) ગૌતમ પ્રભાતિ સ્તવનઃ ૨૩ [૧]. ૫૮મું પદ ભગવતીદાસકૃત બ્રહ્મવિલાસ (પૃ. ૧૧૬)માં કંઈક રૂપાન્તરપૂર્વક છપાયાનું શ્રી અગરચંદ નાહટાનું કહેવું છે. પ્રભુપ્રત્યે પૂર્ણ રાગ (પદ-૯) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ રાગ પ્રદર્શિત કરાયો છે. એમાં ચન્દ્રનાં કિરણ જોઈ સમુદ્ર ઊછળે એ બાબત તેમજ પગે ચાલનાર પગરખાં પહેરે તો એને કાંટા ન વાગે એ બાબત રજૂ કરાઈ છે. ધ્યાતા અને ધ્યેયની એકતા થતાં ભેદ મટી જાય એમ અહીં કહ્યું છે અને એ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy