SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ભગવાન મહાવીર : એક અનુશીલન સોના-ચાંદીથી નિર્મિત રાજગૃહનગરી એવી પ્રતિભાષિત લાગતી હતી કે જાણે કે સ્વર્ગથી અલકાપુરી પૃથ્વી પર આવી ગઈ ન હાય. ૧૭ રવિણચાર્ય રાજગૃહને ધરતીનું યૌવન કહ્યું છે. અન્ય અનેક કવિઓએ રાજગૃહના મહત્વ પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે. જૈનેને જ નહીં પણ બૌદ્ધને પણ રાજગૃહ સાથે મધુર સંબંધ રહ્યો છે. વિનયપિટકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બુદ્ધ ગૃહત્યાગ કરીને રાજગૃહ આવ્યા હતા. ત્યારે રાજા શ્રેણિકે એમને પિતાની સાથે રાજગૃહમાં રહેવા પ્રેર્યા હતા. પણ બુદ્ધે તે વાત માની નહીં. બુદ્ધ પિતાના પ્રચાર માટે કેટલી ય વાર રાજગૃહ આવ્યા હતા. તેઓ પ્રાયઃ વૃદ્ધકુટ પર્વત, કલન્દક–નિવાપ અને વેણુવનમાં ઊતરતા હતા. એક વાર બુદ્ધ જીવક કૌમારભૂત્યના આમ્રવનમાં હતા ત્યારે જીવકે એમની સાથે હિંસા-અહિંસા અંગે ચર્ચા કરી હતી. જ્યારે એક વખતે તેઓ વેણુવનમાં રહેતા હતા ત્યારે અભયકુમારે એમની સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સાધુ સકલેદાયિએ પણ બુદ્ધ સાથે અત્રે વાર્તાલાપ કર્યો હતે.૧૧ એક વાર બુદ્ધ તપોદારામ કે જ્યાં ગરમ પાણીના કુંડ હતા, ત્યાં વિહાર કર્યો હતું. બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહની પડતીને પ્રારંભ થયો હતું, જ્યારે એની યાત્રી હ્યુનસાંગ અરો આ હતો ત્યારે રાજગૃહ પહેલાં જેવું ન હતું. હાલ ત્યાંના નિવાસી ગરીબ અને અભાવગ્રસ્ત છે. હાલમાં રાજગૃહ “રાજગિરિ' નામથી ઓળખાય ૧૭. તfહું પુરુ નામે રાશિદુ યા જોહિહિં ઘ૩િ | बलिबंड घर तहो सुखइहिं सुरणयरु गयणपडिउ || --णायकुमार चरिउ ६. ૧૮. તત્રાતિ સર્વતઃ શાંત નાના પુરમ્ | कुसुमामोदसुभग भुवनस्येव यौवनं । ––પદ્મપુરાણ ૩૩, ૨ ૧૯. મઝિમનિકાય (સારનાથ ૧૯૩૩) ૨૦. મક્ઝિમનિકાય, અભયરાજકુમાર સુતખ્ત, પૃ. ૨૩૪ ૨૧. મઝિમનિકાય, ચલકલોદાયી સુતખ્ત, પૃ. ૩૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy