SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પક ભગવાન મહાવીરની પૂર્વ કાલીન જૈન પરંપરા સાબિત થયેલી વાત છે કે ભગવાન મહાવીરની પરંપરા પંચમહાગ્રતાત્મક હતી. ૯૦ તેમ છતાં બૌદ્ધ સાહિત્યમાં એમની પરંપરાને ચાર યામચુક્ત કહેવામાં આવી છે. તે એ બાબત પરત્વે સંકેત કરે છે કે બૌદ્ધો પાર્શ્વનાથની પરંપરાથી પરિચિત તેમજ એની સાથે સંબંધિત રહ્યા હશે અને એ કારણે જ મહાવીર ભગવાનના ધર્મને પણ તેઓ તે જ સ્વરૂપમાં જુએ છે. એ સંપૂર્ણ સત્ય છે કે મહાવીરની પૂર્વે નિગ્રંથ સંપ્રદાયમાં ચાર યાને જ મહિમા હતો અને એનાથી તે અન્ય સંપ્રદાયમાં પ્રચલિત રહ્યો હતો. એ સંભવિત છે કે બુદ્ધ અને એની પરંપરાના વિદ્વાનને શ્રમણ ભગવાન મહાવીરે નિગ્રંથ સંપ્રદાયમાં જે આંતરિક પરિવર્તન કર્યું અને પરિચય કે જ્ઞાન હોય. પ. જૈન આગમ સાહિત્યમાં “પૂર્વના સાહિત્ય અંગે ઉલ્લેખ સાંપડે છે. પૂર્વ સંખ્યાની દ્રષ્ટિએ ચૌદ હતા પણ આજ તે સર્વ લુપ્ત થઈ ગયા છે. ડે. હર્મન જૈકેબીનું એ અનુમાન છે કે શ્રતોની પૂર્વે અન્ય ધર્મ ગ્રંથનું અસ્તિત્વ પૂર્વના સમયમાં એક પૂર્વ સંપ્રદાય હોવાનું સૂચવે છે. ૯૨ ૬. ડૉ. હર્મન જૈકેબી મઝિમનિકાયના એક સંવાદનો ઉલ્લેખ કરી નેધે છે કે –“સચ્ચકના પિતા નિગ્રંથ હતા. પરંતુ સચ્ચક નિગ્રંથ મતને માનતું ન હતું એટલે તે એમ ગતિ કરે છે કે પોતે જ્ઞાતપુત્ર મહાવીરને વિવાદમાં પરાજિત કર્યા છે. કેમકે એક પ્રસિદ્ધ ૯૦ ઉત્તરાધ્યયન-૨૨, ૨૩. ૯૧ બૌદ્ધ સાહિત્યમાં જે ચાર યામ દર્શાવવામાં આવ્યા છે, તે યથાર્થ નથી તથા પુરુષના વતની ક૯પના જૈન પરંપરામાં મળતી નથી. એમ કહી શકાય કે ઠંડા જળ વગેરેનો નિષેધ જૈન પરંપરાથી વિરુદ્ધ નથી. ૯૨ The Name (પૂર્વ) itself testifies to the fact that the Purvas were superseded by a new canon, for purva means former, earlier Sacred books of the East, Vol. XXII Introduction P. XLIV. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy