SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ચંપારણની સમીપ દેવરિયા જિલ્લામાં આવેલ પાવાને મધ્યદેશીય પાવા કહેવુ ઉચિત છે. : આ પ્રમાણે પર પરાથી બિહારમાં આવેલ પાવાપુરી ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ નિશ્ચિત હોવા છતાં પણ ઇતિહાસ અને ભૌગેલિક સ્થિતિ આદિને કારણ · પાવા ’ના સ્થાન અ ંગેની નિશ્ચિતતા અનિયાત્મક બની ગઈ છે. પરપરાઓને પણ પૂર્વાધાર હાય છે અને ઐતિહાસિક તથ્યેાની પણ ઉપેક્ષા કરી શકાય નહીં. એટલે ઇતિહાસ, પુરાતત્ત્વ તેમજ પરપરાના આધારભૂત કારણાને એકબીજા સાથે મેળ ખાતા નથી અને બધા પોતપોતાનાં તથ્થૈને પ્રમાણિત માનતા રહેશે ત્યાંસુધી પાવાના ચાક્કસ સ્થાન અંગેના નિ ય એકપક્ષીય રહેશે એટલે અમે પેાતાનું મંતવ્ય પ્રગટ કરવાની અપેક્ષાએ બન્ને પ્રકારની વિચાર–પર'પરા, ભૃગાલ અને ઇતિહાસ અંગેના વિવેચનને સારાંશ પ્રગટ કર્યાં છે. જ્યાં સુધી કાઈ પણ પ્રકારની નિર્ણયાત્મક સ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી એટલું જ કહી શકાય કે ભગવાન મહાવીરનું પરિનિર્વાણ કાર્તિક વદ અમાસે પાવામાં થયુ હતુ. અને એ પાવા મલ્લ રાજાએાની રાજધાની હતી. ત્યાંના રાજા હસ્તિપાલ હતેા જે મલ્લગણતંત્રનેા એક શાસક હતા. પાલગ્રામ પાલકગ્રામ ચંપાની પાસે અને કૌશાંખીના રસ્તામાં હતું. કેમકે મહાવીર કૌશાંખીથી પાલક થઈ ને ચંપા પધાર્યા હતા અને ત્યાં આગળ વાઇલે અપશુકન માનીને મહાવીરને કષ્ટ આપ્યું હતું. ૯૪ પુરિમતાલ એના સ્થાન અંગે અનેક મતભેદ પ્રવર્તે છે. કેટલાય વિદ્વાન એની આળખ માનભૂમની પાસે આવેલ · પુરુલિયા' નામના સ્થાન ૧. શ્રમણ ભગવાન મહાવીરકી વાસ્તવિક નિર્વાણ ભૂમિ પાવા', લેખક ડૉ. ચેાગેન્દ્ર મિશ્ર એમએ.પીએચ.ડી. અધ્યક્ષ ઇતિહાસ વિભાગ, પટના કાલેજ, પટના વિશ્વવિદ્યાલયના આધારે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy