SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ભૌગોલિક પરિચય ભગવાન મહાવીર અનેક વાર કૌશાંબી પધાર્યા હતા. ચંદનબાળા અને મૃગાવતીએ અહીં દીક્ષા લીધી હતી. રાજા શતાનીક પણ કૌશાંબીને જ શાસક હતા. કૌસાંબિયા નામની જન શ્રમણની એક શાખા માનવામાં આવે છે." ક્ષિતિપ્રતિષ્ઠિત ભગવાન મહાવીરના વિહાર વર્ણનમાં ક્ષિતિપ્રતિષ્ઠિન નગરને પણ ઉલ્લેખ થયે છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનું સ્થાન ક્યાં હતું ? એ નિશ્ચિતપણે કહેવું કઠિન છે. ગંગાના ડાબા તટ પર જ્યાં હાલ ગૂસી છે, ત્યાં પહેલાં પ્રતિષ્ઠાનપુર નગર આવેલું હતું. સંભવ છે કે પ્રતિષ્ઠાનપુરનું જ અપર નામ ક્ષિતિપ્રતિષ્ઠિત હેય. ગંગા ભારતવર્ષની સૌથી મોટી નદી ગંગા છે. ગંગાને દેવતાએની નદી માનવામાં આવે છે. ૧ જૈન સાહિત્યમાં ગંગાને દેવાધિષ્ઠિત નદી કહી છે. ગંગાનું વિરાટરૂપ જ એનું દેવત્વની પ્રસિદ્ધિનું કારણ છે. ગંગા મહા નદી છે. ૩ સ્થાનાંગમાં ગંગાને મહાર્ણવ કહી છે.* આચાર્ય અભયદેવે મહાર્ણવ” શબ્દને ઉપમાવાચક માની એને ૫. કલ્પસૂત્ર ૮, પૃ. ૨૨૯ ૧. (ક) સ્કન્દપુરાણ, કાશીખંડ, ગંગા સહસ્ત્ર નામ ૨૮ અધ્યાય (ખ) અમરકેષ, ૧, ૧૦, ૩૧ ૨. જંબુથ્વીપ પ્રજ્ઞપ્તિ ૪ વક્ષસ્કાર ૩. (ક) સ્થાનાંગ ૫, ૩ (ખ) સમવાયાંગ ૨૪ સમવાય (ગ) જ બુપપ્રજ્ઞપ્તિ ૪ વક્ષસ્કાર (ધ) નિશીથ સૂત્ર ૧૨, ૪૨ (ડ) બહ૯૯૫ સૂત્ર ૪, ૩૨ ૪. (ક) સ્થાનાંગ ૫, ૨, ૧. (ખ) નિશીથ ૧૨, ૪૨ (ગ) બૃહત્કલ્પ ૪, ૩૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy