SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌગોલિક પરિચય અપાપા પાવાનું નામ અપાપા પણ હતું. જ્યારે ભગવાન મહાવીરનું ત્યાં પરિનિર્વાણ થયું ત્યારે અપાપા પાપા નામે પ્રખ્યાત થઈ વિશેષ વિવરણ માટે “પાવા” શીર્ષક જુઓ.' ' અધ્યા જૈન સાહિત્યની દૃષ્ટિએ અયોધ્યા સૌથી પ્રથમ નગર છે. અયોધ્યાના નિવાસી વિનીત સ્વભાવના હતા, એટલે ભગવાન ઋષભના સમયે એનું નામ વિનીતા પડ્યું. એના લોકો સ્વભાવથી સરલ હતા. અચલ ગણધરની અને મર્યાદા પુરુષોત્તમ રામની એ જન્મભૂમિ હતી. અધ્યાનું વર્ણન કરતાં રામાયણકોરે લખ્યું છે કેસરયુ નદીના કિનારે આવેલી આ નગરી ધન-ધાન્યથી પરિપૂર્ણ હતી. એના માર્ગ સુંદર હતા. એમાં અનેક શિલ્પી અને દેશ-વિદેશના વેપારીઓ વસતા હતા. ત્યાંના લોકે સમૃદ્ધિશાલી, ધર્માત્મા, પરાક્રમી અને દીર્ધાયુ હતા. અધ્યાનિવાસીઓએ વિવિધકલામાં કુશળતા પ્રાપ્ત કરી હતી, એટલે અયોધ્યાને કુશલા-કેશલા પણ કહેતા હતા.' વૈશાલીમાં જન્મ લેવાથી જેવી રીતે ભગવાન મહાવીરનું નામ વૈશાલીય છે. તેવી રીતે ભગવાન રાષભદેવે કૌશલમાં જન્મ લીધે હતો એટલે કૌશીલીય પણ કહેવાય છે. કૌશલને રાજા પ્રસેનજિત ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યમાં અનેક સ્થાને થયેલું છે. બૃહત્કલ્પ અનુસાર ભગવાન મહાવીર એક વાર જ્યારે અયોધ્યા(સાકેત)ના સુભૂમિભાગ ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે ૧. આવશ્યક મલયગિરીયવૃત્તિ. ૨. બહ૯૯૫ભાષ્ય ૫, ૫૮૨૪ ૩. (ક) રામાયણ (ખ) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ૪. આવશ્યક મલયગિરીયવૃત્તિ પૃ, ૨૧૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy