SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલના અભયકુમારે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું -હાં ભંતે ! વાત એવી છે કે હું નિગંઠ નાતપુત્તની પાસે ગયા હતા. એમણે જ મને આપને આ બેધારી પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કર્યો હતો. એમનું મંતવ્ય એવું હતું કે આ પ્રમાણે પ્રશ્ન પૂછવાથી શ્રમણ ગૌતમ ન એકી શકશે કે ન ગળી શકશે. અભયરાજકુમારની ગાદમાં એક નાનો બાળક બેઠેલ હતું, એને લક્ષ્ય કરીને બુદ્ધે કહ્યું–રાજકુમાર, તારા કે ધાવના પ્રમાદથી આ બાળક કદાચિત્ મેંમાં લાકડું કે ઢેકું નાખી દે તે એ વખતે તું શું કરીશ? રાજકુમાર-ભંતે, હું એને કાઢી નાંખીશ. જે હું એને સીધી રીતે નહીં કાઢી શકું તે ડાબા હાથથી એનું માથું પકડીને જમણા હાથની આંગળી વાંકી કરીને લેહી સહિત પણ એને કાઢી નાંખીશ કેમકે કુમાર પર મને દયા છે. બુદ્ધ-રાજકુમાર, તથાગત અતધ્ય, અનર્થ યુક્ત અને અપ્રિયા વચન નથી બોલતા. ત સહિત હોવા છતાં પણ જે અનર્થ કરનાર વચન હોય તે પણ બેલતા નથી. જે વચન તયયુક્ત અને સાર્થક હોય છે પછી ભલે તે પ્રિય હોય કે અપ્રિય હાય, કાલજ્ઞ તથાગત એ બેલે છે. કેમકે એમણે પ્રાણીઓ પર દયા હોય છે. અભયકુમાર-ભન્ત, ક્ષત્રિય-પંડિત, બ્રાહ્મણ-પંડિત, ગૃહપતિ -પંડિત, શ્રમણ–પંડિત, પ્રશ્ન તૈયાર કરીને તથાગત પાસે આવે છે, અને પ્રશ્ન પૂછે છે, શું આપ પહેલેથી મનમાં વિચાર કરી રાખે છે કે આ પ્રમાણે પૂછે તો આ પ્રમાણે જવાબ આપીશ? બુદ્ધ-હું જ પ્રશ્ન કરું છું. શું તું રથને અંગ-પ્રત્યંગમાં ચતુર છે? અભય-હા ભગવાન. બુદ્ધ-રથની તરફ સંકેત કરીને કેઈ પ્રશ્ન કરે કે આ રથનાં ક્યાં અંગ–પ્રત્યંગ છે? શું તું પહેલાથી વિચારી રાખે છે કે આ અને અપ્રિય સહિત હોવા છતા સૂચન હોય તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy