SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદને અવધિજ્ઞાન ૭૧૭ સ્વભાવ છે. તે સામાન્યપણે ભૂલને જાણું શકતા નથી. જાણી લેવા છતાં એને સ્વીકાર કરતું નથી. અને મનમાં સ્વીકારી લે તે પણ બીજા સમક્ષ ક્ષમા માગવાનું એને મૃત્યુથી પણ અધિક ભયાનક લાગે છે અને વળી જે કઈ ઉચ્ચ પદ પર હોય અને પિતાનાથી નાનાની પાસે ભૂલ સ્વીકાર કરવાને પ્રસંગ આવે તે એને અપાર વેદનાને અનુભવ થાય છે. પરંતુ ગણધાર ગૌતમને જ્યારે પોતાની ભૂલ સ્વીકારવાને પ્રસંગ આવ્યું ત્યારે તેઓ કઈ પણ પ્રકારની આનાકાની વગર તે જ સમયે ચાલી નીકળ્યા તે એમના મનની કેટલીક મહાનતા છે. અવિનમ્રતા એમના આંતરિક જીવનની પવિત્રતાનું સૂચન કરે છે. તથાગત બૌદ્ધ પણ એકવાર કહ્યું હતું કે નિગ્રંથ એ છે કે જેના મનમાં ગાંઠ હોતી નથી. અને ગાંઠ એનામાં હોતી નથી કે જેનામાં અહંકાર ક્ષીણ થઈ ગયું હોય. પોતાના બે દિવસના ઉપવાસના પારણાની પરવા કર્યા વગર ગૌતમ આનંદ પાસે એની ક્ષમા માગવા ચાલી નીકળ્યા. કિરાતરાજની દીક્ષા વર્ષાવાસ સમાપ્ત થયા પછી ભગવાને વૈશાલીથી કોશલભૂમિ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોમાં ધર્મોપદેશ આપતા તેઓ સાકેત પધાર્યા. સાકેત કેશલ દેશનું પ્રસિદ્ધ નગર હતું. ત્યાં રહેનાર જિનદેવ શ્રાવક યાત્રા કરતે લેટિવર્ષ નગરમાં પહોંચ્યો. ત્યાં પણ સ્વેચ્છનું રાજ્ય હતું. જિનદેવ “કિરાતરાજ” ને બહુમૂલ્ય રત્ન આદિ ભેટ આપ્યાં. એ બહુમૂલ્ય રત્નોની ચમક-દમક જોઈને વિસ્મિત થયેલા કિરાતરાજે પૂછયું-“કહે, આ બહુમૂલ્ય રને ક્યાંથી લાવ્યા છે? હું તે આવાં રને પ્રથમવાર જ જોઉં છું ? જિનદેવ–આ પ્રકારનાં અને આનાથી પણ ચઢિયાતાં રત્ન અમારા દેશમાં થાય છે. જેને વિસ્મિત કહો, આ બ તો આવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy