SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ ભગવાન મહાવીર : એક અનુશીલન મહાવીર–અદ્ધાકાલ સમયરૂપ, આવલિકારૂપ, યાવત્ અવસર્પિણીરૂપ અનેક પકારને છે.* સુદર્શન–પલ્યોપમ અને સાગરોપમની શી આવશ્યક્તા છે. એમને ક્ષય થાય છે કે નથી થતું? મહાવીર–નૈરયિક, તિર્યચનિક, મનુષ્ય અને દેશનાં માપ માટે પલ્યોપમાં અને સાગરેપમાની આવશ્યકતા છે. - અન્તમાં ભગવાને સુદર્શન પૃચ્છા કરતા એના પૂર્વભવેનું વર્ણન કરતાં કહ્યું-પૂર્વભવમાં તું એક વાર મહાબલ નામને રાજકુમાર હતું. તે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી શ્રમણ ધર્મ અંગીકાર કર્યો. દીર્ઘકાળ સુધી સંયમ-સાધના કરી બ્રહ્મદેવલેકમાં દસ સાગરની સ્થિતિવાળો દેવ બન્યો અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સુદર્શન બન્યા છે. પૂર્વભવમાં સંયમધર્મ સ્વીકારવાને કારણે હજી પણ ત્યારનાં સંસ્કાર તારામાં છે. જેના કારણે તને જિનધર્મ પ્રિય છે અને તું સ્થવિરેના મુખારવિન્દથી ધર્મ શ્રવણ કરતા રહે છે. પિતાના પૂર્વભવ અગે સાંભળી સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન થયું. એણે એ ક્ષણે ભગવાનને વંદન કરી કહ્યુંભગવાન, આપનું પ્રસ્તુત કથન યથાર્થ છે. એણે શ્રમણ-ધર્મને સ્વીકાર કર્યો, ચૌદ પૂર્વોનું અધ્યયન કરી, બાર વર્ષ સુધી શ્રમણ ધર્મનું પાલન કરી, તેણે કર્મ ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું." આનંદને અવધિજ્ઞાન ભગવાન મહાવીરની આજ્ઞા લઈ ગણધર ગૌતમ ભિક્ષા માટે વાણિજ્યગ્રામ પધાર્યા ભિક્ષા લઈ તેઓ પુનઃ “તિપલાશ ४ अदाकाले त्ति अद्धा समयादया विशेषास्तद्रूपः कालोऽद्धाकालः चन्द्रसूर्यादि क्रिया . विशिष्टोऽद्ध तृतीयद्वीपसमुद्रान्तवती समयादि । –એજન ૫. ભગવતી શતક, ૧૧, ઉદ્દેશક ૧૧, સૂત્ર ૪૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy