SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વચર્ચાઓ હતું. જેની પાસે પાંચસે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. એણે સાંભળ્યું ભગવાન મહાવીર “તિલાશ” ઉદ્યાનમાં પધાર્યા છે. એણે વિચાર્યું એમની પાસે જઈને કેટલાક પ્રશ્નો કરું. તે પિતાના બધા છાત્રોને લઈને ભગવાન પાસે ગયે અને એણે પૂછયું–ભગવાન ! આપના વિચાર અનુસાર યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહારનું કેવું સ્વરૂપ છે? આપ કેવી યાત્રામાં માને છે ? મહાવીર–સેમિલ, મારા મત મુજબ યાત્રા પણ છે, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર પણ છે. અમે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય અને આવશ્ય આદિ ક્રિયાઓમાં યતના પૂર્વક ચાલવું તેને યાત્રા કહીએ છીએ. શુભ યોગમાં યાતના જ અમારી યાત્રા છે. ' સમિલ–પાપનીય શું છે? - મહાવીર–સમિલ, યાપનીય બે પ્રકારના છે. ઈન્દ્રિયયાપનીય અને નેઈન્દ્રિયયાપનીય. શ્રેત્ર, ચક્ષુ, ઘાણ, જિહુવા અને સ્પશે ન્દ્રિયને વશમાં રાખવી, મારું ઇન્દ્રિયયાપનીય છે અને ક્રોધ, માન, માયા, લેભને જાગૃત ન થવા દેવા તેમ જ એના પર નિયંત્રણ રાખવું તે મારું નોઈદ્રિયયાપનીય છે. સેમિલ–ભગવાન, આપનું અવ્યાબાધ શું છે? મહાવીર–શરીર વાત, પિત્ત, કફ અને સનિપાત-જન્ય વિવિધ રોગાન્તકને ઉપશાન્ત કરવા તથા એને પ્રગટ ન થવા દેવા તે મારું અવ્યાબાધ છે. સેમિલ–આપને પ્રાસુક વિહાર કર્યો છે? મહાવીર–સોમિલ ! આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપા આદિ સ્ત્રી, પશુ–પંડક રહિત વસ્તીમાં પ્રાસુક અને ક૯૫નીય, ફલક, શયા સસ્તારકનો સ્વીકાર કરી વિચરણ કરવું તે જ મારા (મતે) પ્રાસક વિહાર છે.” ૧૬ ભગવતી ૧૮, ૧૦, ૬૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy