SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ For ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સાથે કાઈ આ પુરુષ વ્યભિચાર સેવે તે શું કહેવાય ? તે શ્રમણાપાસકની પત્ની સાથે સંગમ કર્યો કે અપત્ની સાથે જ સગમ કર્યાં કહેવાય ? મહાવીર—પત્ની સાથે સંગમ કર્યાં કહેવાય, અપત્ની સાથે નહી. ગૌતમ—ભગવન, શીલબત, ગુણુવ્રત અને પૌષધેાપવાસને કારણે પત્ની અપત્ની થઈ જાય છે ? મહાવીર—વ્રત અવસ્થામાં શ્રમણેાપાસકની એ ભાવના હાય છે કે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રવધૂ કાઈ પણ મારાં નથી. એ ભાવના થવા છતાં પણ એમાં પ્રેમખ ધનાના વિચ્છેદ થતા નથી એટલે પત્ની–સંગમ જ કર્યા કહેવાય, અપત્ની સંગમ નહીં. આગળ વધીને ભગવાને શ્રાવકના આ પચાસ ભગાને પરિચય આપીને આજીવક અને શ્રમણાપાસક વચ્ચે ભેદ સ્પષ્ટ કર્યાં. આજીવક અરિહ’તને દેવ માને છે. માતા-પિતાની સેવા કરનાર હોય છે તે ઉત્તુ ખર, વડ, ખેર, શેતૂર અને પીપળે એ પાંચ કા અને ડુંગળી, લસણુ આદિ કંદમૂળના ત્યાગી હાય છે. તેઓ જેને નપુંસક નથી કરવામાં આવ્યેા અને જેને નાથવામાં આવ્યે નથી એવા બળદો પાસે કામ લે છે. જો આજીવક ઉપાસક પણ આ પ્રમાણે નિર્દોષ રીતે જીવન ચલાવે છે, તે શ્રમણેાપાસક અ'ગે શું કહેવાનું હોય ? શ્રમણાપાસક પંદર કર્માદાનાનેા ત્યાગી હોય છે, શ્રાવકને માટે પ`દર કર્માદાન ત્યાજ્ય હાય છે.૧૧ આ વર્ષે અનેક શ્રમણાએ રાજગૃહના વિપુલાચલ પર અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. ભગવાનને આ વર્ષોવાસ રાજગૃહમાં પસાર થયા. ૧૧. ભગવતી ૮, ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy