SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ તવચર્ચાઓ ૬૭૭ ઉપહાસ કરતાં કેટલાક પ્રશ્નો પૂછયા હતા. એમના દ્વારા પૂછાયેલા પ્રશ્નોને ભગવાન મહાવીર સમક્ષ પ્રસ્તુત કરતાં ઈન્દ્રભૂતિ ગૌતમે કહ્યુંભગવન, આછવક લેકો પૂછે કે શ્રમણોપાસક જ્યારે સામાયિકમાં બેઠા હોય ત્યારે તે વખતે કોઈ પાત્ર વગેરેની ચોરી કરી જાય છે તે ગૃહસ્થ સામાયિકથી પરવારી એની અન્વેષણ કરે છે કે નહીં? જે કરે છે તે તે પિતાના પાત્રની અન્વેષણ કરે છે કે અન્યના પાત્રની? મહાવીર–ગૌતમ, તે પિતાના પાત્રની અન્વેષણ કરે છે પારકાના નહીં. ગૌતમ–ભગવન ! શું શીલવત, ગુણવ્રત આદિ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં શ્રાવણના ભાંડ (પાત્ર) અભાંડ સ્વામિત્વમુક્ત નથી થઈ જતાં ? મહાવીર-હાં, સામાયિક, પૌષધાદિ વ્રતમાં સ્થિત એવા શ્રમપાસકનું ભાંડ “અભાંડ” જ થઈ જાય છે. ગૌતમ–ભગવન, વ્રત અવસ્થામાં એનું ભાંડ, અભાંડ થઈ ગયું એ વખતે ભાંડની ચોરી થઈ ગઈ. વ્રત પૂર્ણ થયા પછી એની અવેષણ કરે છે તે તે શું પોતાના ભાંડની અન્વેષણ કરે છે? એમ કેવી રીતે કહી શકાય? જે ભાંડ એનું રહ્યું જ ન હોય તે એની તપાસ કરવાને એને શે અધિકાર છે? મહાવીર–વ્રત અવસ્થામાં શ્રાવકના મનમાં એ ભાવના હોય છે કે પ્રસ્તુત સુવર્ણ, ચાંદી, કાંસું, મણિ–રનાદિ પદાર્થ મારા નથી. એ વખતે એને એ પદાર્થો સાથે સંબંધ રહેતો નથી. અર્થાત્ મમત્વભાવ રહેતું નથી. તે એને ઉપગ કરતો નથી. પણ આ પદાર્થો પરથી એને મમત્વભાવ છૂટ નથી. મમત્વભાવ છૂટયો ન હોવાથી તે પદાર્થ પારકો નથી થઈ જતે પણ એને જ રહે છે. • ગૌતમ–સામાયિક વ્રતમાં સ્થિર રહેલ શ્રમણોપાસકની પત્ની ૧૦. ભગવતી ૮, ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy