________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
કેશીકુમાર–તે શત્રુઓ કેણ છે? - ગૌતમ–મહામુને ! બહિત આત્મા, ચાર કષાય, અને પાંચ ઈન્દ્રિયે શત્રુ છે, એને છતી હું નિર્ભય થઈ વિચારું છું. - કેશીકુમાર-મુનિલેકમાં અનેક જીવ પાશબદ્ધ જોવામાં આવે છે. પરંતુ આપ પાશમુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચારે છે?
ગૌતમ– હે મુનિ ! હું એ પાશાનો સર્વ પ્રકારે છેદ કરી નાખું છું તથા સંપાય વિનિષ્ટ કરીને મુક્તપાશ અને લઘુભૂત થઈને " વિચરું છું.
કેશીકુમાર–ભને! તે પાશ કયા કયા છે?
ગૌતમ–ભગવન ! રાગદ્વેષ અને તીવ્ર સ્નેહ પાશરૂપ છે, જે ખૂબ ભયંકર છે. એનું સમ્યક છેદન કરી હું યથાક્રમ વિચરણ કરું છું.
કેડીકુમાર–ગૌતમ, અન્તઃકરણની ઊંડાઈમાંથી ઉત્પન્ન થયેલ લતા જેનું ફલ-પરિણામ અત્યંત વિષ સમાન છે, એને આપે કેવી રીતે ઉખાયું ?
ગૌતમ– એ લતાનું સર્વતોભાવે છેદન કરી નાખ્યું છે. તથા એના ટુકડે ટુકડા કરી અને સમૂળ ઉખાડી ફેંકી દીધું છે. એટલે હું વિષ સમાને ફળના ભક્ષથી સર્વથા મુક્ત થઈ ગયે છું ?
કેશીકુમાર–મહાભાગ ! આ લતા કઈ છે?
ગૌતમ–મહામુનિ, સંસારમાં તૃણારૂપી લતા ખૂબ ભયંકર છે અને દારુણ ફળ આપનારી છે. એને વિધિપૂર્વક ઉછેદ કરી હું વિચારું છું.
કેશીકુમાર–મેધાવિન ! ભીતરમાં ઘર અને પ્રચંડ અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે, તે શરીર તેમજ ગુણને ભસ્મસાત કરનારે છે. આપે એને કેવી રીતે શાંત કર્યો ? કેવી રીતે બુઝા ?
ગૌતમ–તપસ્વિન, મહામેઘથી પ્રસૂત ઉત્તમ અને પવિત્ર જલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org