SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ મહાચિલાકંટક યુદ્ધ ૬૫૯ રાજા ચેટક પાસે મોકલ્યા અને હાર, હાથી અને હલ, વિહલ્લને ચંપ પાછો મોકલવા માટે સૂચન કર્યું. ચેટકે દૂત દ્વારા કહેવડાવ્યું કે-હાર અને હાથી પર અધિકાર હલ્લ અને વિહલને છે, તેઓ મારા શરણમાં આવ્યા છે. શરણાગતની રક્ષા કરવાનું મારું કર્તવ્ય છે, એટલે હું એમને પાછા મોકલી શકતું નથી. જે શ્રેણિક રાજાને પુત્ર, ચેલુણાને આત્મજ, મારે નતૃક (દેહિત્ર) કૃણિક હિલ, વિહલને અડધું રાજ આપી દે તે હું હાર અને હાથી એને અપાવી દઈશ. એણે ફરીથી દૂત મોકલ્યા અને કહેવડાવ્યું કે હલ્લ અને વિહલ્લ મારી આજ્ઞા વિના હાર અને હાથી લઈ ગયા છે, એ બંને અમૂલ્ય વસ્તુઓ મગધ રાજ્યની છે, ચેટકે ફરીથી નકારાત્મક ઉત્તર આપે. કૃણિક ક્રોધથી કાંપવા લાગે, એની આંખ લાલ થઈ ગઈ. ભ્રકુટી તંગ થઈ ગઈ. એણે ત્રીજીવાર લેખિત પત્ર આપીને દૂતને મેક. એમાં લખ્યું હતું હાર અને હાથીને પાછા મોકલી દો યા યુદ્ધ માટે તૈયાર થઈ જજો.” તે ચેટકની રાજસભામાં આવીને સિંહાસન પર લાત મારી અને ભાલાની અણી પર રાખી તે પત્ર ચેટકને આ પત્ર વાંચી તથા દૂતન અશિષ્ટતાપૂર્ણ વ્યવહારને જોઈ રાજા ચેટકે કહ્યું – “હું યુદ્ધ માટે તૈયાર છું. કૃણિક ભલે આવે. હું એની પ્રતીક્ષા કરીશ.” ચેટકના રક્ષકે એ દૂતને ગળેથી પકડીને બહાર કાઢી મૂક્યો. કૃણિકે દૂત પાસેથી બધે વૃત્તાન્ત સાંભળ્યું અને કાલકુમાર વગેરે દસે ભાઈઓને બેલાવીને કહ્યું: “જલદીથી પિતપોતાની સેના સજજ કરીને આવે, હું ચેટક રાજા સાથે યુદ્ધ કરીશ.” બધા ભાઈએ પિતપતાના રાજ્યમાં ગયા અને પિતાને ત્રણ હજાર હાથી, ત્રણ હજાર ઘેડા, ત્રણ હજાર રથ અને ત્રણ કરોડ પદાતિઓને સાથે લઈને આવ્યા. આ પ્રમાણે તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર અશ્વ, તેત્રીસ હજાર રથ અને તેત્રીસ કરોડ પદાતિઓની વિરાટ સેના લઈને કૃણિક વૈશાલીની તરફ આગળ વધે. રાજા ચેટકે પિતાના નેહી નવ મલ્લવી, નવ લિચ્છવી એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy