SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન અધિક પ્રસન્નતા થઈ નહીં, પ્રશંસા અને નિંદા, માન અને અપમાન, સત્કાર અને ધુત્કારથી ધન્ય અણગારનું મન અપ્રભાવિત હતું. ધન્ય અનગર સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હતા. માન-અપમાન, પૂજા– પ્રશંસામાં સમભાવ રાખતા તેઓ પિતાના આત્મ-ચિંતનમાં લીન રહેતા. શ્રેણિક અત્યંત પ્રસન્ન થઈ પાછો ફર્યો. નવ મહિનાની શ્રમણ પર્યાય પાળીને મરણાનિક સંખના કરી ધન્ય અનગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા. સુનક્ષત્ર અનગાર કામંદીમાં જ સુનક્ષત્ર અનગારે પણ ભગવાનની પાસે દીક્ષા લીધી અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને તેઓ પણ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા.* શ્રમણે પાસક કુંડલિક કાકંદીથી વિહાર કરતા ભગવાન કંપિલપુર પધાર્યા. ત્યાંને જિતશત્રુ રાજા ભગવાનને વંદન કરવાને આવ્યું. કંડકેલિક ત્યાને પ્રસિદ્ધ ધનવાન હતું. જેની પાસે અઢાર કરોડ સુવર્ણ મુદ્રાઓ હતી. અને છ જ હતાં. પ્રત્યેક વ્રજમાં દસ દસ હજાર ગાય હતી. ભગવાનને ઉપદેશ સાંભળી એણે શ્રાવકવત ગ્રહણ કર્યું. એક દિવસ કુંડલિક મધ્યાહુન સમયે અશોકવાટિકામાં પહોંચે અને ત્યાં પૃથવીશિલાપટ્ટક પર પોતાની મુદ્રિકા અને ઉત્તરીય વસા રાખી ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી વિચારવા લાગ્યું. એક સમયે એક દેવ ત્યાં પ્રગટ થયે અને એને કહ્યું -“મંખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ અત્યંત સુંદર છે, એમાં ઉત્થાન, બલ, વીર્થ અને પુરુષાકાર પરાક્રમને અભાવ છે., બધી વાતો નિયતિ પર અવલંબિત છે એટલે તું એને ગ્રહણ કર તે સારું.” ૩. અનુત્તરપપાતિક 1 ૪. અનુરોપપાતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy