SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ આંક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર આદ્રકકુમારે પણ અભયકુમાર માટે પણ ભેટ મોકલી. રાજગૃહથી એના બદલા માં ભેટ મોકલવામાં આવી. અભયકુમારના તરફથી આદ્રકકુમાર માટે ધર્મોપકરણ ભેટરૂપે મોકલવામાં આવ્યાં. એને પ્રાપ્ત કરી આદ્રકકુમાર પ્રતિયુદ્ધ થયા. એમને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી એમણે દીક્ષા ગ્રહણ કરી અને ત્યાંથી ભગવાન મહાવીરના દનને માટે તેમણે રાજગૃહની તરફ વિહાર કર્યાં. એમને માગ માં વિભન્ન મતાના અનુયાયીએ મળ્યા. એમણે આદ્રકકુમાર સાથે ધર્મચર્ચા કરી. આદ્રકકુમાર મુનિએ બધા મતનું ખંડન કરી ભગવાન મહાવીરના મતનું સમર્થન કર્યું. આ વિચાર ચર્ચાને પ્રસગ આ પ્રમાણે છે. સર્વપ્રથમ આદ્રકકુમાર મુનિને ગોશાલક મળે છે. તે અને મામાં જ રોકીને કહે છે-આદ્રક! હું તને મહાવીરના વિગત જીવનની કથા સંભળાવું છું તે પહેલા એકાન્તવિહારી શ્રમણ હતા. હવે તે ભિક્ષુસંઘની આ સાથે ધર્મોપદેશ કરવા નીકળ્યા છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે અસ્થિરાત્માએ પાતાની આજીવિકા ચલાવવા માટે આ ઉપક્રમ કર્યો છે. એમના વર્તમાન આચરણ અને વિગત આચરણુ વચ્ચે સ્પષ્ટ વિરેાધ છે. ૫૭ આદ્રક મુનિ-આપનું કહેવું ઉચિત નથી. આપ મહાવીરના જીવન-રહસ્યને સમજી શકયા નથી. એટલે જ આપને એમના જીવનમાં વિરાધને અનુભવ થઈ રહ્યો છે. ભગવાન મહાવીરને એકાન્તભાવ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાલમાં સ્થિર રહેનારા છે. તે રાગ-દ્વેષથી રહિત છે. એટલે હજારાની વચ્ચે રહીને પણ એકાન્ત સાધના તેઓ કરી રહ્યા છે. જતેન્દ્રિય શ્રમણ વાણીના ગુણ-દોષોને (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૭, ૧૭૭-૧૭૯ (ગ) પયૂષાષ્ટાહિ નકા વ્યાખ્યાન શ્લાક ૫, ૫૦, ૬ (ધ) ડૉ. જયેાતિપ્રસાદ જૈને આ કકુમારને ઈરાનના કોઈ સમ્રાટ કુરુપ્પ (ઈ. પૂ. ૫૫૮--૫૩૦)ના પુત્ર માન્યા છે. -ભારતીય ઇતિહાસ એક દષ્ટિ પૂ. ૬૭-} ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy