SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન વિશ્વાસ ન રહ્યો. એ એના પર જેમ જેમ ચિંતન કરવા લાગ્યા તેમ તેમ એનુ વિભ’ગજ્ઞાન લુપ્ત થઈ ગયું. એને એ અનુભવ થવા લાગ્યા કે એનું જ્ઞાન ભ્રાન્તિપૂર્ણ છે. તે ભગવાન મહાવીરના સમવસરણમાં ગયેા. ભગવાનને વિધિયુક્ત વંદન કરી તે ઉચિત સ્થાન પર બેસી ગા. ભગવાનનું પ્રવચન સાંભળી પુદ્ગલ નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરવા લાગ્યા. એણે તે સમયે શ્રમણધર્મના સ્વીકાર કર્યો અને પછીથી સ્થવિરાની પાસે એકાદશ અગાનું અધ્યયન, વિવિધ તપાનું અનુષ્ઠાન કરી કર્મમુક્ત થઈ નિર્વાણ પ્રાપ્ત કર્યું. મેં ૫૭૦ ચુલ્લશતકનુ શ્રાવકત આ સમયે આલભિયાના નિવાસી ચુલ્લશતક અને એની ધર્મપત્ની બહુલા પણુ ભગવાનના સમવસરણમાં આવ્યાં હતાં. ચુલ્લશતકની પાસે અઢાર કરોડ સુવર્ણરાશિ હતી. છ જ હતા, જેમાં સાઠહજાર ગાયે હતી. ભગવાનને ઉપદેશ સાંભળી એણે શ્રાવકધર્મ અંગીકાર કર્યાં. ચુલનીપિતાની જેમ ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારી. દેવ આવ્યા. પૂર્વવત્ પુત્રોના વધ કરી એને શીલવ્રતથી ડગાવવાને પ્રયાસ કર્યા. પણ તે ડગ્યા નહીં. પછીથી એણે કહ્યું-તારી પાસે જેટલું પણ ધન છે, અને હું ચારા પર ફેંકી દઈશ એટલે તું ભિખારી ખની જઈશ. ત્રીજીવાર આ પ્રમાણે કહ્યુ' ત્યારે ચુલશતકે વિચાયુ-આ અનાર્ય પુરુષ છે. એણે અગાઉ મારા પુત્રોને નષ્ટ કર્યો છે. હવે મારી સંપત્તિ પણ નષ્ટ કરવા માગે છે. એમ વિચારીને તે એને પકડવા ઊઠયો, પણ દેવ આકાશમાં ઊછળી ગયેા. ચુલ્લશતકની ચીસનેા અવાજ સાંભળી એની પત્નીએ આવીને એને શાંત કર્યો અને કરેલા દોષોની આલેચના કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધિ કરી, અન્ને આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયેા.’ ભગવતી ૧૧, ૧૨, ૮ ७ ઉપાસક દશાંગ અ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy