SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ સિંધુ-સૌવીરને ઐતિહાસિક પ્રવાસ ૫૫૭ વંદન કરવા આવી પહોંચે. ધર્મદેશના સાંભળી મહાચંદ્ર ખૂબ પ્રભાવિત થશે અને તેણે શ્રાવકનાં તે ગ્રહણ કર્યા. કેટલાક સમય પછી ભગવાન ફરી ચંપા પધાર્યા. મહાચંદ્ર માતાપિતાની અનુમતિ લઈ ભગવાન પાસે દીક્ષિત થયા. સામાયિકથી આરંભી અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અંતે એક મહિનાનાં અનશન કરી તે મૃત્યુ પામી, સૌધર્મકલામાં દેવરૂપમાં ઉત્પન્ન થયે. રાજર્ષિ ઉદાયનની રક્ષા આ સમયે સિંધુ–સવીર દેશની પરિગણના ભારતના વિશાલ રાજ્યમાં કરવામાં આવતી હતી. વીતભય એની રાજધાની હતી. સોલ બૃહદ દેશ, ત્રણસો ત્રેસઠ નગર અને આગર એને અધીન હતા. ઉદાયન ત્યાંને રાજા હતા. ચંડ પ્રદ્યતન આદિ દસ મુકુટધારી મહાપરાક્રમી રાજા એના તાબામાં હતા. વૈશાલીના રાજા ચેટકની પુત્રી પ્રભાવતી એની રાણી હતી. અભીચિકુમાર એનો પુત્ર હતું અને કેસી એનો ભાણેજ હતો. પ્રભાવતી નિગ્રંથ ધર્મ માનનારી શ્રાવિકા હતી.' પરંતુ રાજા ઉદાયન તાપસને ભક્ત હતા. પ્રભાવતી મૃત્યુ ૧ ત્રિપાકસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, નવમું અદયયન. ૨ (ક) ત્રિષષ્ટિ ૧૦, ૧૧ - (ખ) બૌદ્ધ સાહિત્ય આદિત્ય જાતક (જાતક હિન્દી અનુવાદ ભા. ૪ ૫. ૧૩૯, દિવ્યાવદાન પૂ. ૫૪૪, મહાવસ્તુ (જોસ અનુવાદિત) ભાગ ૩ પૃ. ૨૦૪માં સિધુ-સૌવીરની રાજધાની “રોરૂવા” જણાવવામાં આવી છે. ૩ ભગવતી શ. ૧૩. ઉ. ૬. ૪ (ક) ઉત્તરાધ્યયન, ભાવવિજય ગણીની ટીકા, અ. ૧૮/૫ પત્ર ૩૮૦ (ખ) આવશ્યક ચૂર્ણિ, ઉત્તરાદ્ધ પત્ર ૧૬૪ ૫ (ક) પ્રમાવતી દેવી સમોવાસથી –આવ. ચૂણિ ૩૯૯ (ખ) ઉત્તરા. નેમિચન્દ્રવૃત્તિ પત્ર ૨૫૩ (ગ) ઉત્તરા. ભાવયિજય વૃત્તિ ૧૮,૫,૩૮૦ ૬ કરાયા રાયા તાવણ મરો | –આવ. ચૂણિ૯૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy