SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક ઋનુશીલન ભગવાન મહાવીરે મેઘ મુનિને કહ્યું-મેઘ ! તે સુમેરુપ્રભ હાથી મરીને તું રાજકુમાર મેઘ થયા. પશુના જીવનમાં તે અપાર કષ્ટ કરીને હૃદયની કરુણાને વિશેષરૂપ બનાવી હતી પણ હવે માનવ-જીવનમાં આવાં થાડાંક કષ્ટથી ગભરાઈ રહ્યો છે? વિરાટ મહાસાગરને તે હાથ વડે તરી નાંખ્યા છે, તે હવે કિનારે આવીને થાડાં પાણીમાં ડૂબી રહ્યો છે? પ્રાણી અજ્ઞાનવશ કેવી દારુણુ વેદના ભાગવે છે! સ્વાર્થે અને લેાભથી વશીભૂત થઈ પ્રાણને ન્યાછાવર કરી દે છે! પરંતુ તે કષ્ટ અને સહનશીલતાનું આધ્યાત્મિક દૃષ્ટિએ શું મહત્ત્વ છે? તને સત્ય દૃષ્ટિ મળી હતી, આત્મ-એષ પણ થયા છે. આધ્યાત્મિક દૃષ્ટિથી સમભાવપૂર્વક સહન કરવામાં આવેલા કનું ખૂબ મહત્ત્વ છે. એ કષ્ટ જીવનને પવિત્ર અને નિર્મળ મનાવનાર છે. એટલે મનને સ્થિર કર અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક સાધનામાં સ્થિર થઈ જા. પરદ ભગવાનની પ્રેરણાપ્રદ વાણીને શ્રવણ કરી મેઘકુમારનું હૃદય પ્રબુદ્ધ થયું. તે સાધકજીવનમાં આવનાર કષ્ટોને સામે ઝઝુમવા તૈયાર થઈ ગયા. વિવિધ પ્રકારનાં તપ કરીને અતે તે વિજ્ય નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.૮ નન્દની સાથે તુલના ખૌદ્ધ સાહિત્યમાં સઘ દીક્ષિત નંદનું પણ મેઘકુમાર જેવું વન મળે છે. દીક્ષા લીધા પછી તે પોતાની નવવિવાહિતા પત્ની જનપદ-કલ્યાણી નન્દાનું સ્મરણ કરી વિચલિત થઈ જાય છે. તથાગત બુદ્ધ એના હૃદયની વાત જાણે છે અને એને પ્રતિબુદ્ધ કરવા માટે G तुमे मेहा । तिरिकख जोणियभाव मुवागभेण अप्पडिलद्व सम्मत्त रयणं लभेण । -જ્ઞાતાધમ કથા ૧, ૧ .. (ક) જ્ઞાતાદ્દમ જ્યા ૨, ૨ (ખ) ત્રિષિષ્ટિ. ૧૦, ૬, ૩૬૨-૪૦૬ (ગ) મહાવીર ચરિય† (ગુણચન્દ્ર) પ્રસ્તાવ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy