SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ભગવાન મહાવીર : એક અનુશીલન શક્તિ દષ્ટિગોચર થતી નથી તે પણ એના સમુદાયથી ચિતન્ય શકિતને પ્રાદુર્ભાવ થાય છે. જેવી રીતે અલગ-અલગ દ્રવ્યના સમુદાયથી મદશકિત પેદા થાય છે અને કેટલેક વખત સ્થિર રહી એની પછી કાલાન્તરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થવાથી ફરીથી નાશ પામી જાય છે. તેવી રીતે ભૂતના સમુદાયથી ચિતન્ય ઉત્પન્ન થાય છે અને કેટલાક વખત સુધી વિદ્યમાન રહીને તે પછી વિનાશની સામગ્રી આવી મળતાં ફરીથી નષ્ટ થઈ જાય છે. એટલે ચૈતન્ય ભૂતનો ધર્મ છે અને ભૂતરૂપ શરીર અને ચૈતન્યરૂપ આત્મા અભિન્ન છે. ૩૯ પ્રસ્તુત સંશયનું નિવારણ કરતાં મહાવીરે કહ્યું – વાયુભૂતિ! તારે આ સંશય ઉચિત નથી. કેમકે ચૈતન્ય કેવલ ભૂતોના સમુદાયથી ઉત્પન્ન થઈ શકતું નથી. તે સ્વતંત્ર રૂપે સત છે. કેમકે પ્રત્યેક ભૂતમાં એની સત્તાને અભાવ છે. જેને પ્રત્યેક અવયવમાં અભાવ હોય તે સમુદાયમાં પણ ઉત્પન્ન થઈ શકે નહીં. રેતીના કઈ પણ કણમાં તેલ નથી એટલે રેતીના સમુદાયથી તેલ નીકળી શકતું નથી. તલ સમુદાયથી તેલ નીકળે છે કેમકે પ્રત્યેક તલમાં તેલની સત્તા રહેલી છે.• તારું એ કથન પણ અગ્ય છે કે મદિરાના પ્રત્યેક દ્રવ્યમાં મદ અવિદ્યમાન છે. સાચી વાત એ છે કે મદિરાના પ્રત્યેક અંગમાં મદ વધતી-ઓછી માત્રામાં વિદ્યમાન છે, એટલે તે સમુદાયમાં પણ ઉત્પન્ન થાય છે. ૪૧ મદિરાના અગની સમાન પ્રત્યેક ભૂતમાં ચિતન્યની માત્રા વિદ્યમાન છે, એટલે તે સમુદાયથી પણ ઉત્પન થઈ જાય છે, જે એમ માનવામાં આવે તે શે વધે છે? પરંતુ તારું એ કથન પણ ઉચિત નથી. કેમકે જેવી રીતે મદિરાનાં દરેક અગ-ધાતકીપુષ્પ, ૩૯. વિશેષા. ભાષ્ય ૧૬પ૦ ૪૦. આ કાર્યવાદનો મૂળભૂત સિદ્ધાંત છે. ૪૧. વિશેષા. ભાષ્ય ૧૬ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy