SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જીવની અનેકતા જીવને ઉપગ લક્ષણ છે. એના સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદ છે. સંસારી જીવના ત્રસ અને સ્થાવર એ બે ભેદ છે. ૧૭ - જે લેકેની એ શ્રદ્ધા છે કે આકાશની જેમ જીવની એક જ સત્તા છે, ૧૮ તેઓ વસ્તુતઃ યર્થાથવાદી નથી, નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ વગેરેના શરીરમાં આકાશની જેમ એક જ આત્મા માનવામાં શું વાંધો છે? તે એને જવાબ એ છે કે આકાશની જેમ બધાં શરીરમાં એક આત્મા હવે સંભવિત નથી. સર્વ જગ્યાએ આકાશનું એક જ લક્ષણ આપણું અનુભવમાં આવે છે, એટલે આકાશ એક છે. પરંતુ જીવ અને આ પ્રમાણે ન કહી શકીએ. પ્રત્યેક શરીરમાં જીવ વિલક્ષણ છે. એટલે બધી જગ્યાએ એને એક જ માની શકીએ નહીં. જીવમાં લક્ષણભેદ હેવાને કારણે તે અનેક છે. જેવા કે વિવિધ ઘડાઓ. જે વસ્તુ અનેક નથી, એમાં લક્ષણભેદ પણ નથી હતે. જેમકે આકાશ. બીજી વાત એ છે કે એક જ જીવ માનવાથી સુખ, દુઃખ, બંધ, મેક્ષ આદિની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. એક જ જીવને એકીવખતે સુખી અને દુઃખી થવું, બદ્ધ અને મુક્ત થવું કેઈ પણ રીતે સંભવિત નથી. એટલે અનેક ઈવેની સત્તા માનવી તર્કસંગત છે. ઈન્દ્રભૂતિ ફરી શંકા વ્યક્ત કરતાં કહે છે–જે જીવનું લક્ષણ જ્ઞાન-દર્શન રૂપ ઉપગ છે. અને તે બધા જેમાં વિદ્યમાન છે તો પછી પ્રત્યેક પિંડમાં લક્ષણભેદ કેવી રીતે માની શકાય? આનું સમાધાન કરતાં મહાવીરે કહ્યું-સર્વ જેમાં ઉપગ રૂપ સામાન્ય લક્ષણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રત્યેક શરીરમાં જુદા જુદા ઉપગનો અનુભવ થાય છે. જીવનમાં ઉપયોગના અપકર્ષ અને ઉત્કર્ષના તારતમ્યમાં અનેક ભેદ છે. એ કારણે જીવેની સંખ્યા પણ અનંત છે. ૧૯ ૧૭. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૮૦ ૧૮. બ્રહ્મબિન્દુ ઉપનિષદ ૧૧ ૧૯. વિશેષા ભાષ્ય ગા. ૧૫૮૧-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy