SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ભગવાન મહાવીર : એક અનુશીલન આજીવક અબ્રહ્મચારી સૂત્રકૃતામાં આદ્રકુમારનું પ્રકરણ છે, એમાં આજીવક ભિક્ષુએ ના અબ્રહ્મ–સેવન અંગે ઉલ્લેખ છે.૪૪ કેટલાય લેક એને આક્ષેપ માને છે. પણ બૌદ્ધ સાહિત્યમાં પણ આજીવિકાના અબ્રહ્મ–સેવન (અબ્રહ્મચારીપણું) અંગે ઉલ્લેખ છે.૪૫ મજિઝમનિકાયમાં નિગૂઠને બ્રહ્મચર્યવાસમાં અને આજીવકને અબ્રહ્મચર્યવાસમાં ગણવામાં આવ્યા છે.* ગોશાલક કહે છે કે અવસ્થા ત્રણ પ્રકારની હોય છે. (૧) બુદ્ધ (૨) મુક્ત (૩) નહીં બદ્ધ કે નહીં મુક્ત. તે પોતાને મુક્ત, કમલેપથી પર માને છે. એનું મંતવ્ય એવું હતું કે મુક્ત પુરુષ સ્ત્રી-સહવાસ કરે તે એને એમાં ભય રહે નહીં. આ વિચાર ભલે આલેચક સંપ્રદાયનો હોય પણ તે નિરાધાર નથી. ઈતિહાસવિદ્દ ડોકટર સત્યકેતુએ પણ ભગવાન મહાવીર અને ગોશાલક વચ્ચે પડેલા ત્રણ મત-ભેદમાં, એક સ્ત્રી-સહવાસ અંગેને હતું, એમ જણાવ્યું છે. એનાથી સ્પષ્ટ છે કે આ આજીવકને જૈન સાહિત્યમાં અબ્રહ્મચર્યના પિષક ગણાવ્યા છે, તે માત્ર આક્ષેપ જ નથી. કેઈ પણ સંપ્રદાય બ્રહ્મચર્યને સિદ્ધાંતરૂપે માન્યતા આપે જ એ કેઈ નિયમ નથી. ભારતવર્ષમાં એવા અનેક સંપ્રદાય છે કે જે ભેગ અને ત્યાગ એ બંનેને મહત્વ આપે છે. ૪૪. (ક) વીરુ વષ ૩, અંક ૧૨, ૧૩ લે. ડા. કામતાપ્રસાદ (ખ) ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધર્મ પૃ. ૫૮ થી ૧૧ ચીમનલાલ જયચંદ શાહ, ભારતીય વિદ્યા ખંડ ૨, પૃ. ૨૦૧-૧૦, ખંડ ૩ પૃ. ૪૭.૫૯ Ajivika Sect. A New Interpretation. ૪૫. Ajivikas Vol.1.; મજ્જન મા ? સુ. ૫૧૪ Encyclo Paedia of Religion and Ethics Dr. Hoerole p. 261. ૪૬. મજિઝમનિકાય સ્કન્દક સુર ૨, ૩, ૬. ૪૭. ભારતીય સંસ્કૃતિ ઔર ઉસકા ઈતિહાસ પુ. ૧૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy