SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહસાધના ૪૩૫ પ્રકારના ઉપસર્ગ સહન કરવા પડ્યા. લૂખું-સૂકું વાસી ભોજન પણ મુશ્કેલીથી પ્રાપ્ત થતું હતું. કૂતરાએ એમને દૂરથી જોઈને કરડવા ધસતા હતા. ત્યાં એવા બહુ ઓછા માણસો હતા કે જે કરડતા અને ન ભરાવતા કૂતરાઓને હટાવે, એને બદલે તેઓ કૂતરાઓન સીસકારીને કરડવા માટે ઉત્તેજિત કરતા. ભગવાન મહાવીર આ પ્રાણીઓ પર કોઈપણ પ્રકારનો ખરાબ ભાવ લાવતા નહીં. એમને પિતાના શરીર પર પણ કોઈ જાતનું મમત્વ ન હતું. આત્મવિકાસ અર્થે ગ્રામ–સંકટને તે સહર્ષ સહન કરતા એવા તે સદા પ્રસન્ન રહેતા હતા. જેવી રીતે સંગ્રામમાં ગજરાજે શત્રુઓના તીણ પ્રહારની સહજ પણ પરવા કર્યા વગર આગળ વધ્યે જાય છે, તેવી રીતે ભગવાન મહાવીર પણ લાઢ પ્રદેશમાં ઉપસર્ગોની કિંચિત્ પણ પરવા કર્યા વિના આગળ વધતા રહ્યા. જે એમને રહેવાને–ભવા માટે લાંબા અંતર સુધી કોઈ ગામ જ મળતું નહીં તે ભયંકર જંગલમાં પણ તે રાત્રિવાસ કરતા હતા. જ્યારે તેઓ કઈ ગામમાં જતા ત્યારે ગામની નજીક પહોંચતા કે ગામના લેકે બહાર નીકળીને એમને માર પીટ કરવા લાગતા અને બીજા ગામમાં જવાનું કહેતા. તે અનાર્ય લોક ભગવાન પર દંડ, મુષ્ટિ, ભાલા, પથ્થર અને ઢેફાં વડે ૬ એજન ૧,૯,૩,૨ ૭ એજન ૧,૯, ૩,૪ ૮ એજન ૧,૯,૩,૭ ४. नागासगाम-सीसे वा, पारए तत्थ से महावीर । एवं पि तत्थ लाढे हिं अलद्ध-पुव्वो वि एगया गामा । –આચારાંગ ૧,૨,૩,૮ ૧૦. ૩વસંમત-મહિને રામ તિષ્પિ qત્ત | पडिनिकखमि तुं लुसिसु अपओ परं पलेहित्ति ॥ -આચારાંગ ૧,૯, ૩, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy