SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા શાસ્ત્રો મહેાદયે જે અતિમ માન્યતાએ—કર્મ-વિપાક, સંસારબંધન અને મેાક્ષ કે મુક્તિને અન્તતોગવા વૈશ્વિક ગણાવી છે, તે વાસ્તવમાં મૂલતઃ અવૈદિક છે. વૈદિક સાહિત્યમાં આત્મા અને મોક્ષની કલ્પના જ નથી. એને માન્યા વિના કર્મ–વિપાક અને ખંધનની કલ્પનાનું મૂલ્ય શું છે? એ. એ. મેકડોનેલનું મતવ્ય છે- પુનર્જન્મના સિદ્ધાંતને વેદોમાં કોઈ સ ંકેત મળતા નથી પણ એક બ્રાહ્મણુ’માં એવી ઉક્તિ મળે છે કે જે લેાકો વિધિવત્ સંસ્કારાદિ નથી કરતા તે મૃત્યુ બાદ પુનઃ જન્મ લે છે અને વારંવાર મૃત્યુના ભાગ અને છે. વૈદિક સંસ્કૃતિનાં મૂળતત્ત્વા છે— યજ્ઞ, ઋણુ અને વર્ણ વ્યવસ્થા. એ ત્રણેના વિરોધ શ્રમણ સસ્કૃતિની અન્ને ધારાએ જૈન અને બૌદ્ધે કર્યો છે. એટલે શાસ્ત્રીજીની માન્યતા આધારરહીન છે. એ સ્પષ્ટ છે કે જૈનધર્મ વૈદિક ધર્મની શાખા નથી, તેમ છતાં કેટલાક વિદ્વાને આ માન્યતાના ભાગ બન્યા છે. જેમકે— પ્રે. લાસને લખ્યું છે કે“બુદ્ધ અને મહાવીર એક વ્યક્તિ છે. કેમકે જૈન અને બુદ્ધ પરપરાની માન્યતાઓમાં અનેક પ્રકારની સમાનતા છે.’૪ પ્રે. વેબરે લખ્યું છે. જૈનધમ બૌદ્ધધર્મની એક શાખા છે. એ એનાથી સ્વતંત્ર નથી.પ પરંતુ આ વિદ્વાનેાના ભ્રમનું નિરસન પ્રો. થાકોષીએ અનેક તર્કપૂણ દલીલને આધારે કર્યું છે. અને અંતમાં એ સ્પષ્ટ કર્યું છે કે જૈન અને બૌદ્ધ એ અને સ્વતંત્ર સંપ્રદાય છે એટલું જ નહી પણ ૩. વૈદિક માઈ થાલેાજી. પૃ. ૩૧૬ ૪. S. B. E. VOL 22. Introduction. P. 19, ૫. એજન. પૃ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy