SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મહાવીરે ધ્યાનથી નિવૃત્ત થઈને આગળ પ્રયાણ કર્યું. જો કે મહાવીરની અદમ્ય શક્તિ વડે એક રાતમાં સંગમની સમસ્ત આશાઓ પર તુષારાપાત થઈ ગયા હતા, તે પણ તે ધીઠ પ્રભુને પીછે છેડ્યા વગર સાથે જ રહ્યો અને “બાલુકા”, “સુગ” “સુચ્છતા” મલય” અને “હસ્તીશીર્ષ ” વગેરે નગરોમાં જ્યાં જ્યાં મહાવીર પધાર્યા ત્યાં ત્યાં પિતાનાં કાળાં કરતૂતથી ભગવાનને પીડાએ આપતે રહ્યો. એક વાર જ્યારે ભગવાન તસલિગાંવ ઉધાનમાં ધ્યાનસ્થ હતા, ત્યારે ત્યાં સંગમ શ્રમણની વેશભૂષા ધારણ કરી ગામમાં આવ્યું અને ત્યાંના ઘરમાં ખાતર પાડવા લાગ્યું. જ્યારે તે પકડાઈ ગયો ત્યારે તે બોલ્યો, “મને કેમ પકડે છે ? મેં તો ગુરુ આજ્ઞાનું પાલન કર્યું છે. જે તમારે પકડવા જ હોય તે ઉદ્યાનમાં જે ધ્યાન કરતા ઊભા છે, તે મારા ગુરુને પકડે.” એ જ ક્ષણે લેકે ત્યાં આવ્યા અને મહાવીરને પકડવા લાગ્યા. દેરડાથી બાંધીને એમને ગામમાં લઈ જવા લાગ્યા. ત્યારે મહાભૂતિલ અદ્રજાલિકે ભગવાનને ઓળખી કાઢયા અને લેકેને ધમકાવતાં સમજાવ્યા. લોકે સંગમની પાછળ દેડ્યા પણ એને કોઈ સ્થાને પત્તે જ લાગે નહીં. જ્યારે ભગવાન મેસલિ ગામમાં પધાર્યા, ત્યારે સંગમે ત્યાં પણ ભગવાન પર તસ્કરકૃત્ય-ચેરીનો આરોપ મૂક્યો. ભગવાનને પકડીને રાજ્ય પરિષદમાં લઈ જવામાં આવ્યા. ત્યારે ત્યાં સમ્રાટ સિદ્ધાર્થના નેહી–સાથી સુમાગધ રાષ્ટ્રીય (પ્રાંત અધિપતિ – ૪ આવ. નિયું. ૩૯૦- ૩૯૧ તથા પૂર્વોક્ત બધાં સ્થાને. ૫ (ક) આવશ્યક નિયુક્તિ ૩૯૨. (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૪૪. (ગ) આવ. ચૂણિ ૩૧૨. (ધ) આવ. મલય. વૃત્તિ ૨૯૧-૯૨. (ડ) આવ. હારિભદ્રીય વૃત્તિ ૨૧૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy