SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડકૌશિકને પ્રતિબંધ ૩૧ માર્ગની કિનારા પર આવેલા એક વૃક્ષની છાયામાં બેઠેલા ગોવાલબાલકેએ જોયું કે એક શ્રમણ આ ભયંકર જંગલ તરફ આગળ વધી રહ્યો છે. એના સેનેરી શરીરની કાંતિથી વન–પ્રદેશ એ આલોક્તિ થઈ રહ્યો છે, જેવી રીતે પ્રભાતના બાલસૂર્યથી દિશાઓ થઈ રહે છે. એમના મુખમંડલ પર અદમ્ય એજ છે, આંખોમાં અપાર નેહને સાગર છલકી રહ્યો છે. એમના ધીર-ગંભીર કદમ દઢતાથી સાથે આગળ વધી રહ્યા હતા. ગોવાલ–બાળકનાં હદય ભવિષ્યની કલ્પનાથી ધ્રુજી ઊડ્યાંબિચારા ભિક્ષુ, આ અજાણ્યા માર્ગ પર જ જઈ રહ્યા છે. જુઓ એની સૂરત કેટલી સુંદર છે. ક્યાંક તે મહારુદ્ર ચંડકૌશિક નાગ કે જે ઝાડીમાં છુપાયેલું છે, એને ભક્ષ્ય બની ન જાય, એટલે અમારે એને રોકવા જોઈએ. ગેવાલાએ ટેકતાં કહ્યું- “દેવાર્ય ! આ બાજુ ન જાવ. આ રસ્તામાં એક ભયંકર દષ્ટિવિષ સર્પ રહે છે, જેના વિષયુક્ત કુંફાડાથી માનવ તે શું પણ પશુ-પક્ષીગણ પણ ભસ્મીભૂત થઈ જાય છે. એ એટલે ભયંકર છે કે તે જયાં જુએ છે ત્યાં ઝેર વરસવા લાગે છે, આગની જ્વાળા ઊઠવા લાગે છે. એના કારણે આસપાસનાં વૃક્ષો પણ સૂકાઈ ગયાં છે, ચારે બાજુ સુમસામ થઈ ગયું છે. દૂર દૂર સુધીનો વનપ્રદેશ ઉજજડ થઈ ગયો છે. જગલનું વાતાવરણ ભયથી ધ્રુજી રહ્યું છે. એટલે શ્રેયસ્કર એ છે કે આપ બહારના માર્ગેથી પધારે. દર મહાવીર મૌન હતા. તે પિતાના લક્ષ્ય તરફ આગળ જઈ રહ્યા હતા. પથથી વિચલિત થવાનું એ શીખ્યા જ ન હતા. (ખ) આવ. મલ. વૃત્તિ. ૨૭૩,૧ (ગ) મહાવીર ચરિયું, નેમિચન્દ્ર, ૯૬૨ () મહાવીર ચરિયું, ગુણચન્દ્ર ૫, ૧૫૯ ૬૨. (ક) આવ. ચૂર્ણિ, ૨૭૮ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૭૩ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy