SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન મૂળમાં દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્ર આપવા અંગેનું વર્ણન નથી, પરંતુ આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હારિભદ્રીયવૃત્તિ, આવશ્યક મલયગિરિવૃત્તિ, ચઉષ્પન્ન મહાપુરિસ ચરિયું, મહાવીર ચરિયું, ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રની ટીકાઓમાં આ અંગે જે વર્ણન મળે છે, તે આ પ્રમાણે છે- પ્રવજ્યા લીધા પછી ભગવાન જ્ઞાતૃખંડ વનમાંથી પ્રસ્થાન કરે છે. લોકોની આંખો એકી ટસે ભગવાન નજર બહાર ન ગયા. ત્યાં સુધી એમને જોઈ રહે છે. નજરથી દૂર થયા એટલે આંખમાંથી આંસુઓનાં મેતી વરસવા લાગ્યાં. સમભાવમાં નિમગ્ન ભગવાન અકિંચન ભિક્ષુ બનીને આગળ વચ્ચે જતા હતા. એમને માર્ગમાં રાજા સિદ્ધાર્થને પરિચિત મિત્ર સેમ નામને વૃદ્ધ બ્રાહ્મણ મળે. મહાવીર ભગવાન સમક્ષ નિવેદન કરતે તે કહેવા લાગ્યું– ભગવન ! હું દીન અને દરિદ્ર છું, ન તો ખાવાને અન્ન છે ન તે પહેરવાને માટે પૂરતાં વચ્ચે છે અને રહેવા માટે કોઈ સારું ઝૂંપડું પણ નથી. ભગવન ! જ્યારે આપે સાંવત્સરિક દાન આપ્યું એ વખતે હું ભૂખથી પીડાતા પરિવારને છેડીને ધનની આશાએ દૂરના પ્રદેશમાં ભીખ માગવા ગયેલે હતે. ૧૧ મારા જેવા અભાગિયાને એ જાણવા મળ્યું નહીં કે આપ ધનની વર્ષા કરી રહ્યા છે. હું તે ભટકીને હતાશ અને નિરાશ થઈને ખાલી હાથે ઘેર પાછા ૩. આવશ્યક ચૂર્ણિ. પૃ. ૨૬૮ ૪. આવ. હરિ. વૃત્તિ ૧૮૭,૧ ૫. આવ. મલય. વૃત્તિ ૫. ૨૬ ૬. ચપ્પન ચરિયું પુ. ૨૭૩–૨૭૪ ૭. (ક) મહાવીર ચરિય નેમિચન્દ્ર ગ. પ૭-૬૭ ૫. ૩૬-૩૭ (ખ) મહાવીરચરિત્ર-ગુણચન્દ્ર પુ. ૧૪૪–૧૪૪ ૮. રિષષ્ટિ. ૧૦,૩, ૨-૧૫ ૯. કલ્પસૂત્ર સુબાધિકા ૧૦. (ક) આવ. મલ. વૃત્તિ ૨૬૬ (ખ) મહાવીર ચરિયું ગુ. પ્ર. પ. પૂ. ૧૪૨ (ગ) ત્રિષષ્ટિ. ૧, ૩, ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy