SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ભગવાન મહાવીર : એક અનુશીલન કુલનું નામ છે. પાલિ પ્રોપર નેમ્સઝ અને સંયુક્ત નિકાયની ટીકાને આધારે લખવામાં આવ્યું છે કે “ના” એ મહાવીરના પિતાનું નામ હતું, એની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે એ કુલ બ્રાહ્મણ હતું કે ક્ષત્રિય હતું એ અંગે કોઈ પાલિમાં કેઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ આનું સ્પષ્ટીકરણ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધપ અને કલ્પસૂત્રમાં ગર્ભાપહરણના પ્રસંગમાં પ્રાપ્ત થાય છે. “નાય” એ કુલ છે. પરંતુ જૈન અને વૈદિક સાહિત્યમાં જ્યાં કુલેની ચર્ચા કરવામાં આવી છે, ત્યાં “જ્ઞાત કુલની ચર્ચા જોવા મળતી નથી. આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન ત્રાષભદેવે જે કુલેની સંસ્થાપના કરી તે ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય કુલ હતા. રાજ્યની સુવ્યવસ્થા માટે આરક્ષક દલની સંસ્થાપના કરી, જેના અધિકારીઓ ઉગ્ર કહેવાયા. મંત્રી-મંડલ બનાવ્યું જેના અધિકારીઓ ભેગ” નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટની સમીપસ્થ માણસ કે જેઓ પરામર્શ પ્રદાતા હતા તેઓ રાજન્ય નામથી વિખ્યાત થયા અને અન્ય રાજકર્મચારીઓ “ક્ષત્રિય નામથી ઓળખાયા. ૪૭ આવશ્યક નિર્યુક્તિની ઉપર્યુક્ત સૂચીમાં ચાર કુલેને જ નિર્દેશ છે. પરંતુ જ્ઞાતૃકુલને કોઈ ઉલ્લેખ નથી. જિનભદ્રગણું ક્ષમાશ્રમણે ૪૪ પાલિ પોપર નેમ્સ ભાભ-૨ ૫ ૬૪ ४५. नायाणं खतियाणं सिद्धत्थस्स खत्तियस्स कासव गुतस्स तिसलाए खतियाणीए वासिगुत्ताए । આચારાંગ દિ સૂત્ર. ૧૭૬ ૪૬ ક૯પસૂત્ર સૂત્ર ૧-૨ દેવેન્દ્રમુનિ સંપાદિત ૪૭. (ક) ૩ મોના રૂug વત્તિયા સંજો મળે વસુધા | आरक्खि गुरुवयंसा सेसा भे खत्तिया ते तु ॥ –આ. નિયુકિત ૧૯૩ (ખ) આવ. મલ.માં ૧૬૮ (ગ) હરિભદ્રમાં ૨૦૨૦, વિશેષા ૧૬ ૦૪ અને વળી આવ. ૨૦૫, વિશે. ૧૬૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy