SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭૮ ભગવાન મહાવીર : એક અનુશીલન જન્મસ્થાન : એક પરિચય ભગવાન મહાવીરના જન્મસ્થાન અને ઈતિહાસગ્ન વિદ્વાનોમાં અનેક મતભેદ છે. કેટલાય વિદ્વાન આગમ અને આગામેત્તર સાહિત્યમાં આવેલા “સાય’ શબ્દને જોઈને ભગવાન મહાવીરનું સ્થાન વૈશાલી હોવાનું માને છે, પણ ભગવાન મહાવીરનું જન્મસ્થાન વૈશાલી નથી, પરંતુ વૈશાલીની સમીપ આવેલ કુંડપુર છે. મુનિશ્રી કલ્યાણવિજયજીએ કુંડલપુરને વૈશાલીનું ઉપનગર માન્યું છે. શ્રી વિજયેન્દ્રસૂરિજીએ એને ઉપનગર નહીં પણ સ્વતંત્ર નગર માન્યું છે. જૈન સાહિત્યના પર્યવેક્ષણથી જ્ઞાત થાય છે કે, બ્રાહ્મણ કુંડગ્રામ નગર અને ક્ષત્રિય કુંડગ્રામ નગર એમ બે નગરો મળે છે. કોઈ કઈ જગ્યા પર એને સન્નિવેશ (રહેવાનું સ્થાન) પણ કહેવામાં આવ્યું છે. દક્ષિણમાં બ્રાહ્મણ કુડપુર સન્નિવેશ હતું તે ઉત્તરમાં ક્ષત્રિય કુડપુર સંનિવેશ હતું.' પાશ્ચાત્ય વિદ્વાનું માનવું છે કે કુંડગ્રામ એક જ નગર હતું, એના બે વિભાગ હતા. જે વિભાગમાં પ્રધાનતઃ બ્રાહ્મણની વસતિ હતી એને બ્રાહ્મણ ૧ (ક) આચારાંગ ૨ ૧૫,૩-૫ (ખ) કલ્પસૂત્ર ૩૦ (ગ) આવશ્યક નિયુકિત ૩૪૦ (ધ) વિશેષા. ભાષ્ય ૧૮૨૧ અને ખત્તિયકુંગવા માટે ગા. ૧૮૩૧,૧૮૪૦ જુઓ () આવ. હારિભદ્દીયા. ૧૭૭ (ચ) ત્રિષષ્ટિ ૧,૨.૧૨ શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૫ ૩ તીર્થકર મહાવીર પૃ, ૪ (ક) ભગવતી, અમિલક૦ ૯,૩૩,૧-૨૧ (દેવાનંદા અને જમાલિ પ્રકરણ) (ખ) આચારાંગ (ગ) કલપસૂત્ર ૨,૧૫,૨૦,૨૧,૨૪,૨૬,૨૮,૩૦,૬૭, ૧૦૦ ५ दाहिणमाहण-कुण्डपुर-सन्निवेसाओ उतिरखत्तिय-कुण्डपुरसन्निवेसंसि...... આચારાંગ ૨,૧૫,૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy