SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પૂર્વભવ ૨૫ (૨૨) મનુષ્ય આવશ્યક મલપગિરિવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને શ્રમણ ભગવાન મહાવીર નામના ગ્રંથમાં બાવીસમે માનવનો ભવ જણાવવામાં આવે છે. પરંતુ આ ગ્રંથમાં એનું નામ, આયુષ્ય અને જીવન પ્રસંગે અંગે કઈ ઉલેખ કરવામાં આવ્યું નથી. મહાવીરચરિયંમાં ગુણચન્દ્ર આ ભવમાં તપ-જપની સાધના કરી ચક્રવર્તીને પુણ્ય ઉપાર્જન કર્યું એ વસ્તુ ભારપૂર્વક જણાવી છે. ગે પાલદાસ જીભાભાઈ પટેલે પિતાને “મહાવીર કથા” ગ્રંથમાં અને આચાર્ય વિજયધર્મસૂરિજીએ “શ્રમણ ભગવાનના છવ્વીસ ભવ૨૩ નામના પુસ્તકમાં નામ, સ્થલ વગેરેને ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે ભગવાન મહાવીરને જીવ બાવીસમા ભવમાં વિમલ રાજા બન્ય. એમની માતાનું નામ વિમલા હતું. અને પિતાનું નામ પ્રિય મિત્ર હતું. યુવાવસ્થામાં એમણે આહતી દીક્ષા લીધી અને ઉત્કૃષ્ટ તપજપની સાધના કરી. પણ એમણે આ અંગે કોઈ પ્રાચીન ગ્રંથનું પ્રમાણ આપવાની તસ્દી લીધી નથી. સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં આચાર્ય અભયદેવે મહાવીરના છે પૂર્વભવ આપ્યા છે. જે બાવીસમે ભવ મનુષ્યને માનવામાં આવે તે સમવાયાંગની વૃત્તિની સાથે એને મેળ બેસતો નથી. એટલે કલ્પસૂત્રના વિવેચનમાં મેં બાવીસમે ભવ મનુષ્યને જણાવ્યું નથી. પરંતુ એ બે ગ્રંથનું સૂક્ષ્મ અવલોકન કરી વિચારતાં પ્રતીત થયું કે આ કથન ઉચિત નથી. એક આચાર્ય અભયદેવ સિવાય બધા ગ્રંથકારેએ ગર્ભપરિવર્તનને ભવ તરીકે ગણું નથી. એક જન્મમાં બે ૩૧ (ક) આવ નિ. મલ. વૃત્તિ ૫. ૨૫૧ (ખ) મહાવીર ચરિય ૩, પૃ. ૬૪, ગા. ૬ (ગ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૮૩ (૧) શ્રમણ ભગવાન મહાવીર, કલ્યાણવિજય પૃ. ૧૭૧ ૩૨ મહાવીર ચરિયું ૩ ૩૩ મહાવીર કથા ૫ ૪૪ (ખ) પૃ. ૧૩૪ થી ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy