SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ભગવાન મહાવીર : એક અનુશીલન વેદેને જાણકાર જટિલ નામક પુત્રરૂપે જન્મે છે. પરિવ્રાજક બનીને પહેલાંની માફક લાંબા સમય સુધી એ માર્ગને ઉપદેશ આપે અને મૃત્યુ પામી તે સૌધર્મ સ્વર્ગમાં દેવ થયે છે. અને ત્યાં બે સાગરની સ્થિતિ પ્રાપ્ત કરી.૭૩ આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં સૌધર્મ સ્વર્ગમાં જવાને કોઈ ઉલ્લેખ નથી. આવશ્યક મલયગિરિ વૃત્તિમાં એ ઉલ્લેખ છે કે કૌશિક પછી અનેક ભવે લઈને પછીથી છૂણ નગરીમાં જન્મ લીધો.૭૪ પરંતુ તેનાં નામે ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. સંભવ છે કે આ અનેક ભેમાં એક ભવ સૌધર્મ સ્વર્ગમાં જવાને પણ ગણવામાં આવ્યું હોય. (૬) પુષ્યમિત્ર કૌશિક તરીકે આયુષ્ય પૂર્ણ કર્યા પછી તે (જીવ) પૂણા નગરીમાં પુષ્યમિત્ર નામને બ્રાહ્મણ થાય છે. એનું આયુષ્ય બોતેર લાખ પૂર્વનું હતું. છેલ્લા સમયમાં ત્યાં પણ તે ત્રિદંડી પરિવ્રાજક બને છે.૭૫ (૭) સીધમ દેવક તે (જીવ) અહીંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ બને છે." ૭૩ ઉત્તરપુરાણ ૭૪,૬૮ થી ૭૦ ७४ संसारे क्यिन्तमपि कालमटित्वा स्थूणायां नगर्या जातः । આ. નિ. મલ. વૃત્તિ પૃ. ૨૪૮ ૭૫ (ક) આવ. નિ. ૩૨૪ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૦ (ગ) આ. મલ. વૃત્તિ પર, ૨૪૮ (ધ) આવ. ચૂર્ણિ. ૨૨૯ (ડ) ત્રિષષ્ટિ ૧૦,૧,૭૭ (ચ) ઉત્તરપુરાણ ૭૪, ૭૧-૭૨ ૭૬ ઉપર્યુક્ત બધાં સ્થાન જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy