SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પૂર્વભવ જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, એગદર્શન અને આજીવકદર્શનને જન્મ આપે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને અત્યધિક મહત્વ આપવામાં આવ્યું છે, એને બધા આશ્રમમાં મુખ્ય માનવામાં આવ્યું છે. પરંતુ શ્રમણ સંસ્કૃતિએ ગૃહસ્થ જીવનથી પણ શ્રમણ જીવનને અધિક મહત્ત્વ આપ્યું છે અને એનાથી મેક્ષની પ્રાપ્તિ માની છે. શ્રમણના વિચાર અને આચારને અનુસરનારી પરંપરા શ્રમણ સંસ્કૃતિ છે. - કપિલે સાંખ્ય-સૂત્રમાં અને પતંજલિએ યોગ-સૂત્રમાં જીવનેત્થાનને માટે સંન્યાસને પ્રથમ જરૂરી ગયું છે. ઉચ્ચતમ સાધકોને માટે એમણે સંન્યાસી, પરિવ્રાજક અને ચેગી શબ્દને પ્રયોગ કર્યો છે. પરંતુ “શ્રમણ શબ્દનો ઉપયોગ કર્યો નથી. અર્થની દષ્ટિએ બહુ ફેર નથી. સાંખ્ય-દર્શનના સંન્યાસી, ગ-દર્શનના યેગી અને શ્રમણ-સંસ્કૃતિના શ્રમણ આ ત્રણેનું અંતિમ લક્ષ્ય એ છે કે જીવનનો પરમ વિકાસ કરી અનંત આનંદની ઉપલબ્ધિ કરવામાં આવે. ભાષા, પરિભાષામાં ભેદ હેવા છતાં પણ સંન્યાસ ધર્મને પ્રધાનતા આપવાને કારણે સાંખ્ય અને ચેગને શ્રમણ સંસ્કૃતિની શાખાઓ માનવામાં આવે છે. આજીવક મત પણ શ્રમણ સંસ્કૃતિના અંગરૂપ છે, પરંતુ આજ એની પરંપરાઓ લુપ્ત અને વિસ્મૃત થઈ ગઈ છે. આ પ્રમાણે શ્રમણ સંસ્કૃતિને વ્યાપ બહુ વિસ્તૃત રહ્યો છે. આજ શ્રમણ સંસ્કૃતિમાંથી બને જૈન અને બૌદ્ધ પરંપરાઓ અંગે જ્ઞાન પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ સંસ્કૃતિ અવતારવાદી રહી છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિ ઉત્તારવાદી છે. બ્રાહ્મણ સંસ્કૃતિ પ્રત્યેક મહાપુરુષને ઈશ્વરને પૂર્ણાવતાર અને અંશાવતાર માને છે. અને એના દ્વારા કરવામાં આવેલ આચરણની મીમાંસા ર્યા વગર એ સર્વ કૃત્યને લીલાનું નામ આપી એના પર શ્રદ્ધાનું આવરણ કરવા પ્રયત્ન કરે છે. શ્રમણ સંસ્કૃતિના ઉન્નાયકને પિતે પિતાને કઈ પણ વખતે ઈશ્વર અવતાર અને અંશાવતાર કહ્યો ૧. શ્રમણ સંસ્કૃતિ સિદ્ધાન્ત ઔર સાધના, પૃ-૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy