SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉપસર્ગ, વસુમતી ચંદનાને પ્રબંધ, ચમરેન્દ્રના ઉત્પાત, ગેાપાલક દ્વારા કાનમાં શલાકાએ મારવી, કેવલજ્ઞાન, ગણધરાના સંશયનું નિરાકરણ, મૃગાવતીની દીક્ષા, ઉદયનકુમારને રાજ્યાભિષેક, ગૈાશાલકને પ્રતિષેધ ને પ્રસન્નચંદ રાજર્ષિને કેવલજ્ઞાન, મેઘકુમારની દીક્ષા, નંદિષણ મુનિ. દ રાકદેવના પૂર્વભવ, અભયકુમારે શ્રમણની દૂર કરેલી અવજ્ઞા, પંદરસેા તાપસાને પ્રતિષેધ, પુંડરીક અને કુંડરીક, રાજા દશાર્ણભદ્રની વંદના, કુણાલા નગરીના નાશ, મહાવીરનું નિર્વાણુ અને ગૌતમ ગણધરને કેવલજ્ઞાન વગેરે પ્રસંગે આપવામાં આવ્યા છે. ચરિત ગ્રંથની રચના કરતી વખતે લેખકે એમ તેા પેાતાથી પૂર્વકાલીન સાહિત્યમાંથી પરંપરાના પ્રવાહને-સામગ્રીને ગ્રહણ કરી છે. તેમ છતાં એમણે પોતાના તરફથી અનેક તથ્યા પણ સામેલ કર્યાં' છે. પ્રસંગેાપાત્ત વર્ણનામાં પ્રચુર પ્રમાણમાં સાંસ્કૃતિક સામગ્રી પણ ઉપલબ્ધ થાય છે. પ્રાકૃત ભાષામાં લખાયેલી પ્રસ્તુત કૃતિ અત્યંત મહત્ત્વ ધરાવે છે. મહાવીર ચરિયં ( પદ્યમË) પ્રાકૃત ભાષામાં મહાવીરચરિયું નામથી એ ચરિત્ર કાવ્ય ઉપલબ્ધ થાય છે. આ ચરિત્ર કાવ્યના રચનાર ચન્દ્રકુલના બૃહદ્ગીય ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય અને આમ્રદેવસૂરિના શિષ્ય નેમિચન્દ્રસૂરિ છે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યાં પૂર્વે એમનું નામ દેવેન્દ્રગણિ હતું. આ ચરિત્ર ગ્રંથની રચના વિક્રમ સંવત ૧૧૪૧ માં થઈ છે. એમાં ભગવાન મહાવીરના પૂર્વભવા આપવામાં આવ્યા છે. તે ૭ આ ગ્રંથને ગુજરાતી અનુવાદ આચાર્ય શ્રી હેમસાગર સૂરિએ કર્યાં છે. એનુ પ્રકાશન મેાતીચન્દ મગનલાલ ચેકસી, શેઠ દે. લા. પુ. ક્રૂડના મેનેજિંગ ટ્રસ્ટી તરફથી કરવામાં આવ્યુ છે. ૮ આત્માનંદ સલા ભાવનગર દ્વારા પ્રકાશિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy