SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર છે, પણ તે કયા ઉપસર્ગો હતા, એને ઉલ્લેખ નથી. તપનું વર્ણન છે, પણ કયારે કેટલું તપ કર્યું એનું વર્ણન નથી. આ પ્રમાણે આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં જે રેખાએ આપવામાં આવી હતી, એમાં રંગ ભરવાનું કામ ત્રે પૂર્ણ કરવામાં આવ્યું નથી. આના પર જિનપ્રભ, ધર્મસાગર, વિનયવિજય, સમયસુંદર, રત્નસાગર, સંઘવિજય, લક્ષ્મીવલ્લુભ વગેરે અનેક આચાર્ચોએ ટીકા લખી છે. જેમાં મહાવીરના જીવનને અત્યધિક પદ્ઘતિ અને પુષ્પિત કરવામાં આવ્યું છે.પપ ર્યુષણની પુણ્ય પળેમાં કલ્પસૂત્રને પ્રવચનમાં શ્રવણુ કરવાની પણ એક પરંપરા છે. નિયુક્તિ સાહિત્ય મૂળ ગ્રંથા પર વ્યાખ્યાત્મક સાહિત્ય લખવાની પરંપરા બહુ પ્રાચીન છે. જેમકે વૈદિક પરંપરામાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે યાસ્ક મહર્ષિએ નિઘંટુભાષ્ય રૂપ નિરુક્ત લખ્યું છે, તેવી રીતે જૈન આગમાના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવા માટે આચાર્ય ભદ્રબાહુએ પ્રાકૃતપદ્યમાં નિર્યુક્તિઓની રચના કરી હતી. નિયુક્તિ વ્યાખ્યા પદ્ધતિ પ્રાચીન છે. શૈલી સૂત્રાત્મક તેમ જ પદ્યમય છે. આવશ્યક નિયુક્તિ ૧ ૧૬૯ આચાર્ય ભદ્રબાહુએ દસ નિયુક્તિઓની રચના કરી છે. એમાં આવશ્યક નિયુક્તિનું પ્રથમ સ્થાન છે. એમાં અનેક વિષય પર વિસ્તૃત અને વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. પ્રાચીન જૈન ઇતિહાસને વ્યવસ્થિત રૂપમાં પ્રસ્તુત કરવાના આ પ્રથમ પ્રયાસ છે. એમાં સર્વેપ્રથમ ભગવાન મહાવીર મિથ્યાત્વાદીમાં કેવી રીતે બહાર આવ્યા, ૫૫ લેખકની ‘સાહિત્ય ઔર સંસ્કૃતિ' પુસ્તકમાં કલ્પસૂત્ર ઔર ઉસફ્રી ટીકાયે' લેખ જુએ ૧ મલયગિરિગત્તિ સહિત, આગમે!દય સમિતિ, મુંબઈમાંથી પ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy