SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સ ંસ્કૃતિ દેવા કે બહિષ્કાર, માર મારવા, લિંગનું છેદન કરી નાંખવું, દેશનિકાલ કે મૃત્યુદંડની શિક્ષા કરવામાં આવતી. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ શિક્ષા કરવામાં આવતી. પણ ગર્ભવતી સ્ત્રીને માફી આપવામાં આવતી. હત્યાના ગુને કરનારને અર્થદંડ અને મૃત્યુદંડ એમ એ પ્રકારે શિક્ષા કરવામાં આવતી.૮૫ એકછત્ર સામ્રાજ્ય * રાજાએનું શાસન ખૂબ આપખુદ રહેતું. તેએ અનેક પ્રકારે પ્રજાને કષ્ટ આપતા હતા. તેવી રીતે એમની રક્ષા પણ કરતા હતા. રાજજ્ઞાનું ઉલ્લંઘન કરનારને મહાન અપરાધી ગણવામાં આવતા. જો કોઈ ઋષિ-પરિષદનું અપમાન કરતા તેા એના વચનાથી તિરસ્કાર કરવામાં આવતા. જો કેાઈ બ્રાહ્મણ-પરિષદના તિરસ્કાર કરતા તે એના કપાલ પર સાંકળ કે કૂતરાનું ચિહ્ન અંકિત કરવામાં આવતું.૮ જો ફાઈ ગૃહપતિ–વણિક-પરિષદનું અપમાન કરતા તા એને ઘાસકચરાથી લપેટીને ખાળી નાંખવામાં આવતા, જો કાઈ ક્ષત્રિય-પરિષદનું અપમાન કરતા તા એને હાથ-પગ કાપીને શૂળી પર ચઢાવીને એક ઝાટકે મારી નાંખવામાં આવતા.૭ રાજાનાનું ઉલ્લધંન કરનારને જલદ ક્ષારમાં ફેંકવામાં આવતા અને જેટલેા સમય ગાયને દોહવામાં લાગતા એટલામાં તે એનું માત્ર હાડપિંજર જ બાકી રહેતું. ૧૧૯ રાજાએ ખૂખ શંકાશીલ રહેતા, કાઈના પર પણ જરા શા જાય એટલે એને જાનથી મારી નાંખવામાં પાછી પાની કરતા નહીં. ૮૫ જન આગમ-સાહિત્યમાં ભારતીય સમાજ પુ. ૮૨-૮૪ ૮૬ અર્થશાસ્ત્ર, ૪,૮,૮૩,૩૩,૩૪ યાજ્ઞવલ્કય સ્મૃતિ ૨,૨૩,૨૭૦માં પણ ઉલ્લેખ છે. ૮૭ (ક) રાજપ્રશ્ર્વીય ૧૮૪ પૃ. ૩૨૨ (ખ) અંગુત્તરનિકાય, ૨,૪ પૃ. ૧૩૯, ૧૪૦માં પણ ચાર પરિષદોનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy